હિમાંશુ કૌશિક, અમદાવાદ: ઈનકમ ટેક્સ ચાર રસ્તા પર ફ્લાયઓવર બનતો હતો ત્યારથી અહીં રહેલી ગાંધીજીની પ્રતિમાને અન્ય સ્થાને ખસેડવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ હવે ગાંધી બાપુની પ્રતિમા ઈનકમ ટેક્સ ચાર રસ્તા પર જ રહેશે. હાલ પૂરતી તો ખરી જ. 1969માં ગાંધીજીની 100મી જન્મજયંતીના ભાગરૂપે ઈનકમ ટેક્સ ચાર રસ્તા પર આ પ્રતિમા સ્થાપિત કરાઈ. આ પ્રતિમા 1930ની દાંડી યાત્રાને દર્શાવે છે. વર્ષોથી અમદાવાદમાં રહેતા લોકોને યાદ હશે કે, અગાઉ બાપુની પ્રતિમાની ઉપર ભૂરું આકાશ હતું. શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રગટ કરવા પ્રદર્શનકારીઓ અહીં આવતા હતા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
50 વર્ષ બાદ હવે જ્યારે બાપુની 150મી જન્મજયંતી આવી રહી છે ત્યારે મહાત્મા ગાંધીના સ્ટેચ્યૂ ઉપરથી હજારો વાહનો પસાર થશે. કારણકે ઈનકમટેક્સ રોડ પર 805 મીટર લાંબો ફ્લાયઓવર તૈયાર કરાયો છે જેનું ઉદ્ઘાટન બુધવારે થશે. બાપુની મૂર્તિ ફ્લાયઓવર નીચે ઢંકાઈ જતી હોવાથી તેને બીજા સ્થળે ખસેડવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું. બાપુની મૂર્તિને વાડજ સર્કલ પર ખસેડવા માટે આર્કિટેક્ટ નીલકંઠ છાયાએ પ્લાન તૈયાર કર્યો અને ગાંધીવાદી સંસ્થાના ટ્રસ્ટીઓને પણ બતાવ્યો. ગયા વર્ષે આ પ્લાન ફાઈનલ કરી દેવાયો હતો. બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકાય તે પહેલા બાપુની મૂર્તિ ખસેડવાની હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે કહ્યું, “બાપુની પ્રતિમા શા માટે ખસેડવી જોઈએ? હાલ અમે એ દિશામાં જરાપણ વિચાર નથી કરી રહ્યા.” મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું, “સાબરમતી આશ્રમે અમને હજુ પ્રપોઝલ સોંપ્યું નથી. તેમની અમારી સાથે વાતચીત ચાલતી હતી પરંતુ તેમણે પ્લાન સાથે અમારો સંપર્ક કર્યો નહોતો.” AMC સાથે સંકળાયેલા સૂત્રોના મતે, વાડજમાં પણ ફ્લાયઓવર બનાવવાનો હોવાનો પ્રસ્તાવ રજૂ થતાં બાપુની પ્રતિમા ખસેડવાની પ્રક્રિયા મંદ પડી હોઈ શકે છે.
દરમિયાન સાબરમતી આશ્રમ પ્રીવેન્શન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈએ અમારા સહયોગી TOIને કહ્યું, “ટેન્ડરના દસ્તાવેજો તૈયારીના અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં જ અમે સર્કલના નિર્માણ માટે કોન્ટ્રાક્ટ આપી દઈશું. તેમજ મૂર્તિ ખસેડવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.” AMCનો દાવો છે કે, તેમને ગાંધીવાદી સંસ્થા તરફથી કોઈ પ્રપોઝલ મળ્યું ન હોવાથી બાપુની પ્રતિમા ઈનકમ ટેક્સ ચાર રસ્તા પર જ રહેશે. શહેરના ઈન-ચાર્જ એન્જિનિયર અને એડિશનલ CE (રોડ અને બ્રિજ પ્રોજેક્ટ) હિતેશ કોન્ટ્રાક્ટરે કહ્યું, “વાડજ સર્કલ પર નવો બ્રિજ બનાવવા માટે સર્વે ચાલી રહ્યો છે.”
from Page Array – I Am Gujarat https://ift.tt/306wmwH
No comments:
Post a Comment