Latest

Thursday, June 27, 2019

ગોદરેજમાં કૌટુંબિક મતભેદ ઉકેલવાની કવાયત

69967948

મુંબઈ:ગોદરેજ પરિવારના સભ્યોમાં લેન્ડ હોલ્ડિંગના ડેવલપમેન્ટ વિશે મતભેદો થયા બાદ તેઓ હવે અમુક કૌટુંબિક કરારમાં ફેરફાર કરવા વિચારે છે. ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બોય્સના લેન્ડ હોલ્ડિંગ વિશે અલગ અલગ મત પ્રવર્તે છે.

ફેમિલીનું લેન્ડ હોલ્ડિંગ ગોદરેજ એન્ડ બોય્સ પાસે જમા થયું છે તથા ગ્રૂપની લિસ્ટેડ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા તેનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવે છે જે સમગ્ર વિવાદનું કારણ છે.

જમશેદ ગોદરેજ પરિવાર વધારે પડતું ડેવલપમેન્ટ કરવાની વિરુદ્ધ છે જ્યારે અદી અને નાદિર ગોદરેજ આ જમીનને ડેવલપ કરવા માંગે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ લિસ્ટેડ હોવા ઉપરાંત તેણે મુંબઈમાં મોટા ડેવલપર બનવાની યોજના જાહેર કરી છે.

એક અધિકારીએ કહ્યું કે, “આ સ્ટ્રેટેજી મોટા ભાગે વિવાદરહિત છે પરંતુ જામશીદ દ્વારા વધુ સ્પષ્ટતા માંગવામાં આવી છે. તેમના સંતાનો હવે સક્રિય ભૂમિકામાં છે.” જામશીદ ગોદરેજના પુત્ર નવરોઝ ગોદરેજે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પોતાનો હોદ્દો ત્યાગ કર્યો છે જેથી તેમના કઝિન નાયરિકા હોલ્કર માટે લીડરશિપનો માર્ગ મોકળો થયો છે.

ગુરુવારે ગોદરેજ પરિવારના બંને પક્ષો એક નિવેદન બહાર પાડે તેવી શક્યતા છે. એક માહિતગાર વ્યક્તિએ કહ્યું કે, “કેટલીક ચર્ચા થઈ છે. મુખ્ય હોલ્ડિંગ કંપની ગોદરેજ એન્ડ બોય્સનું ગોદરેજ પરિવાર દ્વારા હોલ્ડિંગ કરવામાં આવે છે જે જમીન ધરાવે છે.”

મુંબઈ સ્થિત બિઝનેસ પરિવારે આ કૌટુંબિક એગ્રીમેન્ટ બદલવાની જટિલ પ્રક્રિયા સમજવા માટે બહારના સલાહકારોની મદદ માંગી છે. ટીવી રિપોર્ટ પ્રમાણે તેમણે વિવાદ ઉકેલવા માટે સિરિલ અમરચંદ મંગળદાસના સિરિલ શ્રોફ, એઝેડબી એન્ડ પાર્ટનર્સના સ્થાપક ઝિયા મોદી, જે એમ ફાઇનાન્શિયલ સર્વિસિસના નિમેશ કંપાણી અને કોટક મહિન્દ્રા બેન્કના સીઇઓ ઉદય કોટકની મદદ માંગી છે. ગોદરેજ એન્ડ બોય્સ મુંબઈમાં 3,400 એકરથી વધુ જમીન ધરાવે છે. તેમાંથી 3,000 એકરથી વધુ જમીન વિક્રોલીમાં છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2LnQhTm

No comments:

Post a Comment

Pages