Latest

Thursday, June 27, 2019

અ’વાદઃ કોમર્શિયલ કોમ્પલેક્સમાં ચાલી રહી છે શાળાઓ, સુરત આગકાંડથી નથી લીધો બોધ

અમદાવાદઃ એક મહિના પહેલા સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં થયેલા આગકાંડે 22 છોકરાઓનો ભોગ લીધો હોવા છતાં શહેરની ખાનગી શાળાઓએ જાણે તેમાથી કોઈ શીખ લીધી જ ન હોય તેમ લાગી રહ્યું છે. બુધવારે જ્યારે મહાનગર પાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ 10 જેટલી શાળાઓમાં તપાસ કરવા માટે પહોંચ્યા ત્યારે કોમર્શિયલ કોમ્પલેક્સમાં શાળાઓ ચાલી રહી હોવાનું જોઈને તેઓ હેબતાઈ ગયા હતા. આ ઉપરાંક બાળકો તેમજ દુકાનદારો જે સીડીનો ઉપયોગ કરતા હતા ત્યાંના ઈલેક્ટ્રિક વાયરો ખુલ્લી હાલતમાં પડ્યા હતા. ફાયર વિભાગે તપાસ કરતાં ધ્યાનમાં આવ્યું કે કૃષ્ણનગરમાં એવી સાત શાળાઓ છે જે પુષ્પરાજ નામના એક જ કોમ્પલેક્સમાં ચાલે છે અને શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘અમને તે વાતનું આશ્ચર્ય છે કે શિક્ષણ વિભાગ કોમર્શિયલ કોમ્પલેક્સમાં શાળાઓ ચલાવવા માટેની મંજૂરી કઈ રીતે આપી શકે’ તેમ ફાયર વિભાગના સીનિયર અધિકારીએ કહ્યું. આ સિવાય અમદાવાદ ગ્રામીણ અને શહેરના કોઈપણ ડીઈઓને તે વાતની જાણ નથી કે આ શાળાઓ તેમજ તેની આસપાસ આવેલી શાળાઓએ ફાયર એનઓસી લીધા છે કે કેમ તેમજ લીધા છે તો તેને રિન્યૂ કરાવે છે કે નહીં.

વેજલપુરમાં આવેલી નીલકંઠ સ્કૂલમાં દુકાનદારો સિવાય પ્રાથમિક સ્કૂલના બાળકો માટે એક નાની સીડી જ હતી, જેમાં ફાયરના ઉપકરણો નહોતા. આ સ્કૂલના પ્રિન્સિપાલ ડિના પરમારે કહ્યું કે શાળા છેલ્લા 15 વર્ષથી ચાલી રહી છે. ‘અમે અમદાવાદ ડીઈઓને વિનંતી કરી હતી કે ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવ્યા બાદ અમને કાર્ય કરવાની મંજૂરી આપે, નહીં તો બાળકોનું સત્ર ફેઈલ જશે’.

ઘોડાસરમાં આવેલી ઈમેજ સ્કૂલે હજુ સુધી પોતાની નવી ફાયર સિસ્ટમ લગાવી નથી. આ સિવાય તે જ કોમ્પલેક્સમાં શાળા નીચે એલપીજી ગેસ એજન્સી ચાલી રહી હતી જેને ફાયર વિભાગે સીલ કરી હતી. ‘ફાયર ઉપકરણોનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે શાળામાં કોઈને જાણ નથી’ તેમ ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂરે જણાવ્યું. અમદાવાદના ડીઈઓ આર.સી. પટેલે કહ્યું કે તેમણે તમામ શાળાઓને ફાયર સિસ્ટમ લાગુ કરવા માટે આદેશો આપ્યા છે. જ્યારે અમદાવાદ ગ્રામીણના ડીઈઓએ દાવો કર્યો કે તેમણે રાજ્ય બોર્ડને નીલકંઠ સ્કૂલનું રજિસ્ટ્રેશન રદ કરવા માટે લેખિતમાં અરજી આપી હતી. સૌથી રસપ્રદ અને આશ્ચર્યજનક વાત એ છે કે પટેલ કે વ્યાસમાંથી કોઈ પણ તે નથી જાણતા કે અમદાવાદની કેટલી શાળાઓ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2KEdTnt

No comments:

Post a Comment

Pages