અમદાવાદઃ શહેરના કેટલાક મોબાઈલ યૂઝર્સ રવિવારે સવારે જાગ્યા ત્યારે તેમને તેમના મોબાઈલમાં ખરાબ અથવા નો કનેક્ટિવિટી જોઈને ભારે આઘાત લાગ્યો. શહેરના કેટલાક વિસ્તારોમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વોડાફોનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ જતાં ધંધાદારીઓ અને ઉદ્યોગોને અગવડતા ભોગવવી પડી હતી. જેના કારણે વોડાફોનના ગ્રાહકોમાં એટલો રોષ જોવા મળ્યો કે તેમણે આ માટે વળતર ચૂકવવાની પણ કંપની સમક્ષ માગ કરી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
વોડાફોનનું નેટવર્ક ગઈકાલે ખરાબ થઈ ગયું હોવાનું માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ દેશના મોટાભાગના વિસ્તારોમાં આવું મળ્યું. અમદાવાદમાં વહેલી સવારે ઘણા યૂઝર્સને કનેક્ટિવિટીનો અભાવ જોવા મળ્યો હતો. ઘણા ઉદ્યોગોને પણ તેના કારણે અસર પહોંચી. ઉસ્માનપુરામાં રહેતા અને ફોટોગ્રાફર તેવા મિહિર પાલેજાએ દાવો કર્યો કે છેલ્લા ઘણા અઠવાડિયાથી સર્વિસ સેવા ઓપરેટરની સેવા બગડી રહી છે.
‘કોલ ડ્રોપ્સ પણ જોવા મળી રહ્યા છે જે ખૂબ પરેશાન કરે છે. રવિવારે તો હું કોઈને કોલ કરી શકતો નહોતો કે કોઈ મને કોલ કરે તો રિસીવ પણ કરી શકતો નહોતો. મારે મારા ફોનમાંથી ફાઈલ ટ્રાન્સફર કરવાની હતી પરંતુ ખરાબ કનેક્ટિવિટીના કારણે મારા ધંધાને પણ અસર થઈ. ટેલિકોમ ઓપરેટરે ખરાબ સર્વિસ માટે ગ્રાહકોને વળતર ચૂકવવું જોઈએ’ તેમ પાલેજાએ કહ્યું.
વોડાફોનના યૂઝર્સે પોતાનો રોષ ઠાલવવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કર્યો હતો. મોટેરામાં રહેતી અને એન્જિનિયરિંગની વિદ્યાર્થિની શ્રેયા ક્રિષ્નાત્રે કહ્યું કે, તે છેલ્લા ઘણા દિવસથી નબળી કનેક્ટિવિટીનો સામનો કરી રહ્યા છે પરંતુ રવિવારે સૌથી ખરાબ સ્થિતિ જોવા મળી. ‘હું 4G પેક યૂઝ કરૂ છું પણ હું સોશિયલ મીડિયા પર મારા ફોટો પણ અપલોડ કરી શકતી નહોતી. હું બે સિમ કાર્ડનો ઉપયોગ કરૂં છું એટલે સેક્યુલર ડેટા વાપરવા માટે હું બીજા કાર્ડનો ઉપયોગ કરૂ છું. પરંતુ વોડાફોનનું સિગ્નલ આખો દિવસ ગાયબ દેખાયું’.
ચાંદખેડાના રહેવાસી ઉમંગ ઠાકોરે કહ્યું કે, ‘છેલ્લા 15 દિવસથી મારા મોબાઈલમાં સારી કનેક્ટિવિટી ન હોવાના કારણે હું ઘણી તકલીફ ભોગવી રહ્યો છું. રવિવારે તો સંપૂર્ણ રીતે બ્લેકઆઉટ થઈ ગયું હતું. હું ફરિયાદ પણ કરી શકતો નહોતો કારણ કે નટવર્ક જ નહોતું. એમાય મહિનાનો અંત હોવાથી વધારે કામ હોય છે. જેના કારણે કામ કરવા માટે મારે મારા પરિવારના સભ્યોનો મોબાઈલ વાપરવો પડ્યો’ તેણે દાવો કર્યો કે તેણે ખરાબ કનેક્ટિવિટી અંગે વોડાફોન સ્ટોર પર પણ ફરિયાદ કરી હતી પરંતુ કોઈ ફાયદો થયો નથી.
અમારા સહયોગી અમદાવાદ મિરર સાથે વાતચીત કરતાં વોડાફોન કંપનીએ કહ્યું કે, ‘ટેકનિકલ ખામીના કારણે ઘણા ગ્રાહકોને રવિવારે સવારે અગવડતા ભોગવવી પડી. અમારી ટેકનિકલ ટીમે તાત્કાલિક કામ કરીને મુદ્દાને ઉકેલી દીધો હતો. અમારા ગ્રાહકોને પડેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ’.
પાણીના તેજ પ્રવાહમાં ફસાયો બાળકોને લઈ જતો ટ્રક, માંડ-માંડ બચાવાયા
from Page Array – I Am Gujarat https://ift.tt/2mfqB1k
No comments:
Post a Comment