Latest

Monday, September 30, 2019

ચોમાસાની વિદાયમાં વિલંબની સંભાવના: હવામાન વિભાગ

71368408

નવી દિલ્હી:ભારતમાં ચોમાસાની સીઝન સત્તાવાર રીતે સોમવારે પૂર્ણ થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં તે આગામી સપ્તાહે પૂરી થાય તેવી સંભાવના જણાતી નથી તેમ રવિવારે હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું.

સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત પહેલી જૂનથી થાય છે તથા 30 સપ્ટેમ્બરે પૂર્ણ થાય છે. દેશમાં ચોમાસુ છેલ્લે 15 જુલાઈના રોજ પશ્ચિમ રાજસ્થાનના ગંગાનગર ખાતે પહોંચે છે અને પહેલી સપ્ટેમ્બરથી તે પાછા ફરવાની શરૂઆત કરે છે.જોકે, ચોમાસાએ પાછા ફરવાના કોઈ સંકેત દેખાડ્યા નથી. તેના બદલે રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં હજુ પણ ચોમાસુ કાર્યરત છે.

ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં લો પ્રેશર એરિયાના કારણે વરસાદ ચાલુ છે અને તે આગામી પાંચ ઓક્ટોબર સુધી જળવાઈ રહેશે તેમ મોહપાત્રાએ જણાવ્યું હતું.આગામી ત્રણ ઓક્ટોબર સુધીની આગાહીમાં આઇએમડીએ જણાવ્યું હતું કે બિહાર અને ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના તેની નજીક આવેલા વિસ્તારોમાં ભારે માત્રામાં વરસાદની સંભાવના જોઈ રહ્યા છે, તથા પંજાબ, મધ્યપ્રદેશ, અંતરિયાળ મહારાષ્ટ્ર, ઉત્તર ઓડિશા, ગુજરાત, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને લક્ષ્યદ્વીપમાં સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાવાની સંભાવના છે.

મોહપાત્રાએ જણાવ્યું હતું કે વરસાદ પાછો ખેંચાવામાં વિલંબનો રેકર્ડ બની શકે. ઉલ્લેખનીય છે કે દેશનો હવામાન વિભાગ 1960થી ચોમાસાની નોંધ રાખે છે.
મોહપાત્રાના પુરોગામી કેજે રમેશે જણાવ્યું હતું કે અગાઉ એવા બનાવો બનેલા છે કે ચોમાસુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પાછું ખેંચાય. રમેશે જણાવ્યું હતું કે એવું જોવાયું છે કે 2010 પછી ચોમાસુ પાછું ખેંચાવામાં વિલંબની ઘટનાઓ વધારે જોવા મળી રહી છે.સમગ્રતયા જોઈએ તો આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં નવ ટકા વધારે વરસાદ નોંધાયો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2mb2eBT

No comments:

Post a Comment

Pages