Latest

Monday, September 30, 2019

હવે સંતાકૂકડી બહુ નહીં ચાલે, LOC પાર કરવી પડશે તો એ પણ કરીશુંઃ આર્મી ચીફ

નવી દિલ્હીઃ પાકિસ્તાને ભલે બાલાકોટમાં પોતાના ટેરર કેમ્પ એક્ટિવ કર્યા હોય પરંતુ આર્મી ચીફ બિપિન રાવતે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રજત પંડિત સાથે વાત કરતા જણાવ્યું કે, “હવે ભારતનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. તે પાકિસ્તાનને જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો દુરઉપયોગ કરવા નહીં દે.’ વાચો આ ખાસ વાતચીતના અંશ….

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

બાલાકોટમાં ફરી ટેરર કેમ્પ એક્ટિવ થયા છે. કેટલાક અહેવાલ મુજબ તો 300-500 આતંકવાદીઓ ભારતમાં ઘુસવાની રાહ જોઈને બેઠા છે, તો પછી ફેબ્રુઆરી 2019 અને સપ્ટેમ્બર 2016ની સર્જિકલ સ્ટ્રાઇકથી શું મળ્યું?

બંને સ્ટ્રાઇક દ્વારા એવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી બીજી તરફથી શાંતિ રહેશે ત્યાં સુધી LOC પાર કરવામાં નહીં આવે પરંતુ જો ભારતમાં સ્થિતિ બગાડવાના પ્રયાસો કરવામાં આવશે તો તેના પરિણામ ભોગવવા પડશે. પાકિસ્તાન આતંકવાદીઓને હાઈડ એન્ડ સીકની જેમ ઉપયોગ કરી પ્રોક્સી વોર કરે છે. પરંતુ અમે ત્રણેય મોરચે એક રેડ લાઇન ખેંચીને આવા લોકોને જણાવી દીધું છે કે તેને પાર કરી તો કાર્યવાહી થશે પછી તે કેટલી ગંભીર સમય જ જણાવશે.

પાકિસ્તાનમાં સેના અને ISI દ્વારા આતંકવાદીઓની મદદ અંગે તમારું શું મંતવ્ય છે?

તે બધા એક સાથે મળેલા છે. ભારત દ્વારા અનેક સબૂત આપવા છતા તેઓ કહે છે કે આતંકવાદીઓને અમે સપોર્ટ નથી કરતા. શું 5 ઓગસ્ટ પછી તેમણે પાકિસ્તાનમાં જાહેર સભાઓમાં જેહાદની વાત નથી કરી? તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સમર્થન કરવાની મૌન સ્વીકૃતિ છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પ છે બસ તેઓ ફક્ત તેને જરુરિયાત મુજબ એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ કરતા રહે છે.

પાકિસ્તાન પરમાણુ હુમલાની ધમકી આપતું રહે છે, ઇમરાન ખાને પણ હાલમાં જ UNમાં આ મુદ્દો છેડ્યો હતો?

પરમાણુ હથિયાર નિવારણનું હથિયાર છે. તે પારંપરિક યુદ્ધમાં લડવાનું હથિયાર નથી. મને તો એ જ સમજાતું નથી કે જો કોઈ આવો દાવો કરતું હોય તો શું વિશ્વ સમુદાય આવું કરવા દેશે? પાકિસ્તાનનું નિવેદન દર્શાવે છે કે તેને રણનીતિક હથિયારોના ઉપયોગની સમજ નથી.

નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા પર શું સ્થિતિ છે?

5 ઓગસ્ટ પછી ઘુસણખોરીના પ્રયાસ વધ્યા છે. કાશ્મીર વેલીમાં આતંકવાદીઓનું નેતૃત્વ ઝીરો થઈ ગયું છે. પાકિસ્તાન ફરી હિંસા પેદા કરવા માટે યુવાનોને ભડકાવવા ભરસક પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમે એ સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે કોઈપણ આતંકવાદી આપણી સરહદમાં પ્રવેશી શકે નહીં.

એવી આશંકા છે કે જ્યારે પ્રતિબંધોને દૂર કરવામાં આવશે અને કોમ્યુનિકેશન ફરી શરુ થશે તો કાશ્મીર ભડકે બળશે?

જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ મોટા સ્તરે લોકોને એ સમજાવવાની જરુરિયાત છે કે જે થઈ રહ્યું છે તે એક સારા ભવિષ્ય માટે થઈ રહ્યું છે. નિશ્ચિતરુપે એક જૂથ છે જે સતત એવો પ્રોપેગંડા ફેલાવી રહ્યું છે કે કાશ્મીરીઓના અધિકાર છીનવી લેવામાં આવી રહ્યા છે. જો લોકો તેનું યોગ્ય રીતે સાચુ વિશ્લેષણ કરશે તો ગુણ-દોષ તેમને સમજાશે. તેમને સમજાશે કે વધુ મળ્યું છે અને ભાગ્યે જ કઈંક ગુમાવવાનો વારો આવ્યો છે. તેઓ હજુ પણ કાશ્મીરી છે અને જમ્મુ-કાશ્મીરના નિવાસી છે. તેઓ દેશના બીજા ભાગમાં આવી જઈ શકે છે અને એક સામાન્ય ભારતીયની જેમ તમામ હકો ભોગવી શકે છે. આજે અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ દેશના જુદા જુદા રાજ્યોમાં ભણે છે અને તેમને તમામ આઝાદી છે. તો આવી જ આઝાદી દેશના બીજા વિસ્તારોના લોકોને અહીં કાશ્મીરમાં શા માટે ન મળે?

કાશ્મીર ફક્ત વેલી પૂરતું જ સીમિત નથી. વેલીની બહાર પણ લોકો રહે છે. રાજ્યનો ખૂબ જ નાનો વિસ્તાર પ્રભાવિત થયો છે. જે તેમણે છેલ્લા 30 વર્ષોમાં જોયું છે ત્યારે તેમને શાંતિની એક તક આપવી જોઈએ. જે લોકો કહે છે કે કાશ્મીરમાં સ્થિતિ બદતર છે તો શું તેમને પાછલા 30 વર્ષોમાં સ્થિતિ સારી લાગતી હતી? મને લાગે છે કે છેલ્લા 30 વર્ષથી સ્થિતિ બદતર હતી અને છેલ્લા બે મહિના શાંતિ અને સારા રહ્યા છે.

પ્રતિબંધનો શું અર્થ છે? શું કોઈને તેમના ઘરમાં જ પૂરાઈને રહેવાનું કહેવામાં આવ્યું છે? શું કોઈ બાળકને સ્કૂલે જતો રોકવામાં આવ્યો છે?શું સ્કૂલ બંધ છે? શું સુરક્ષાદળો ગોળીઓ વરસાવે છે? જેવું હું કહેતો આવ્યો છું, તેમ લોકો પોતાના ઘરોની બહાર આવી રહ્યા છે અને કામધંધે લાગી રહ્યા છે.

પરંતુ એવા સમાચાર છે કે કાશ્મીરમાં હજારો યુવાનોની ધરપકડ કરવામાં આવી છે?

શું સાચે જ આવું છે? કલમ 144નું ઉલ્લંઘન કરનાર કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેઓ માહોલને ખરાબ કરવાના પ્રયાસ કરતા હતા અને સરકારના શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસમાં બાધા ઉભી કરી રહ્યા હતા. હકીકતમાં પ્રતિબંધ તો અલગતાવાદીઓ દ્વારા લાદવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા નહીં. સુરક્ષાદળો ફક્ત એ સુનિશ્ચિત કરે છે કે તોફાની લોકો બહાર નીકળીને આ સ્થિતિમાં તોડફોડ, આગજની, લૂટફાટ અને હિંસા ન કરે. જે પણ લોકની ધરપકડ કરવામાં આવી હતી તેમની પોલીસ પૂછપરછ કર્યા બાદ છોડી મુકવામાં આવ્યા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2orlZ8V

No comments:

Post a Comment

Pages