Latest

Monday, September 30, 2019

3 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએ સોમવારે ભારે વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.”

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રવિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 3.87 મિલીમીટર વરસાદ નોંધાયો. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 8 mm, પૂર્વ ઝોનમાં 4.84 mm વરસાદ પડ્યો. આ વર્ષે ચોમાસામાં અમદાવાદમાં સીઝનનો 32.65 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું, “કચ્છના અખાત અને આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સર્જાયું છે. જે પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.”

રિપોર્ટ પ્રમાણે, વીજળી પડવાને કારણે ખેડામાં 1 વ્યક્તિનું મોત થયું જ્યારે 6 ઘાયલ થયા. રવિવારે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે રાજકોટમાં કોઝવે પર પૂર જેવી સ્થિતિ સર્જાતા કાર તણાઈ ગઈ હતી. કાર તણાતાં 3 મહિલાઓના ડૂબી જવાથી મોત થયા હતા. શનિવારે ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકિનારા નજીક એક બોટ પલટી જતાં 4 માછીમારો તણાઈ ગયા હોવાની શંકા છે, તેમ જિલ્લા પોલીસે જણાવ્યું. કોસ્ટ ગાર્ડની ટીમ આ માછીમારોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. રવિવારે રાજકોટ, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં ભારે વરસાદ પડ્યો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2m6ML5E

No comments:

Post a Comment

Pages