અમદાવાદઃ 30 ઓક્ટોબર બાદનાં 20 દિવસ સુધી રિપેરિંગ કામના કારણે સુભાષ બ્રિજ બંધ રહેશે. અમદાવાદ મહાનગર પાલિકા બ્રિજ પર રિપેરિંગનો બીજો ફેઝ શરૂ કરશે. પહેલા ફેઝમાં થાંભલાઓ અને કેરેજ વે પર ગ્રાઉટિંગ (બ્રિજ પર પડેલી તિરાડો ભરવાનું)નું કામ થયું, આ સિવાય બ્રિજના બેરિંગની સર્વિસ પણ કરવામાં આવી. AMCના એન્જિનિયરોના જણાવ્યા પ્રમાણે, બીજા ફેઝમાં બ્રિજના જે જોઈન્ટ્સ છે તેનું રેટ્રોફિટિંગ કરવામાં આવશે જે એક જટિલ પ્રક્રિયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
મહાનગર પાલિકાના એન્જિનિયરો 20થી વધારે હાઈડ્રોલિક જેકનો ઉપયોગ કરીને કેરેજ માર્ગના વિવિધ ભાગોનું કામ એકસાથે કરશે. ‘હાઇડ્રોલિક જેક્સનો ઉપયોગ અગાઉ ગ્રાઉટિંગ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવ્યો હતો’ તેમ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ‘પહેલા ફેઝમાં અમે રિપેરિંગ કરવા માટે ત્રણ રવિવાર બ્રિજ બંધ રાખ્યો હતો. હાલ દિવાળીના વેકેશનના પગલે મોટાભાગના અમદાવાદીઓ વેકેશન માટે શહેર બહાર જશે જેના કારણે ટ્રાફિક પણ ઓછો રહેશે. તેથી અમે આ કામને 20 દિવસ સુધી આગળ વધારવાનું વિચાર્યું છે’ તેમ AMCના અધિકારીએ કહ્યું. AMCના એન્જિનિયરો દ્વારા 16 દિવસનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે.
સરદાર બ્રિજ 1940મા બન્યો હતો અને વર્ષ 2000માં તેને પહોળો કરાયો હતો. ત્યારબાદ આજસુધીમાં તેનું કોઈ મોટું મેન્ટેનન્સ કામ કરવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં 1960માં બનેલા નહેરૂ બ્રિજને સમારકામ માટે બંધ કરવામાં આવશે કારણ કે તેના બેરિંગ્સ બદલવાની જરૂર છે. દરેક બ્રિજ પર ગ્રાઉટિંગ કામ કરવાની પણ જરૂર છે, તેમ AMCના અધિકારીએ જણાવ્યું. આગામી મહિનાઓમાં ચિમનભાઈ પટેલ (1994), દક્ષિણી રેલવે ફ્લાઈઓવર (2009) અને પ્રબોધ રાવળ ફ્લાયઓવર(2001)નું પણ સમારકામ કરાશે.
કર્ણાટકઃ ભારતીય કોસ્ટ ગાર્ડે પાંચ માછીમારોનું કર્યું રેસ્ક્યૂ
from Page Array – I Am Gujarat https://ift.tt/31UCkRP
No comments:
Post a Comment