પાલનપુર, અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના સોમવારે શ્રદ્ધાળુઓ ભરેલી ખાનગી બસ પલ્ટી જવાના કારણે 21 શ્રદ્ધાળુઓના મોત થયા છે. સત્તાવાર માહિતી મુજબ આ અકસ્માત નવરાત્રીના પર્વ પર અંબાજી મંદિરથી પરત ફરી રહેલા લોકોને નડ્યો છે. જ્યારે બસ ત્રિશૂલિયા ઘાટ પાસે અનિયંત્રિત થઈ ગઈ ત્યારે પલ્ટી મારી ગઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત સાંજે 4 વાગ્યાની આસપાસ બન્યો હતો. બસમાં સવાર શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતની જાણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કલેક્ટર સાથે વાત કરીને ઘાયલોને તાત્કાલિક સારવાર અપાવવા અંગે વાત કરી હતી. બનાવની જાણ થયા બાદ અધિકારીઓની સાથે એનડીઆરએફની ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને મદદ કરી હતી. દાંતા પોલીસના જણાવ્યા પ્રમાણે 53 લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે, જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટનાનો ભોગ બનાનારા લોકોમાં મોટા ભાગના લોકો આણંદના અંકલાવ તાલુકાના કાડોલ હાલદારી, પામોલ અને અંબાવ ગામોના હતા. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે શ્રદ્ધાળુઓએ અંબાજી જવા માટે રવિવારે બસ બૂક કરાવી હતી. અકસ્માત અંગે જાણ થતાં ખાડોલ હલદારી ગામના લોકો મોટી સંખ્યામાં ખબર-અંતર જાણવા માટે પહોંચ્યા છે.
બનાસકાંઠાના એસપી (સુપ્રિડેન્ડન્ટ ઓફ પોલીસ) અજીત રાજને જણાવ્યું કે, “બસમાં 70 શ્રદ્ધાળુઓ સવાર હતા અને જેમાંથી 21નાં મોત થયા છે.” ભારે વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણ પહોંચી હતી.
દાંતા સરકારી દવાખાનાના મેડિકલ સુપ્રિડેન્ડેન્ટ એલ એન સોમાનીએ ઝણાવ્યું કે, આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં 4 બાળકો, ત્રણ મહિલા અને 14 પુરુષોનો સમાવેશ થાય છે.
પીએમ નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું, “બનાસકાંઠામાં બનેલી પીડાદાયક ઘટના અંગેના સમાચાર મળ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના પીડિત પરિવારોની સાથે છે. સ્થાનિક વહીવટીતંત્ર તમામ પ્રકારની મદદ માટે કામ કરી રહ્યું છે. હું પ્રાર્થના કરું છું કે આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો જલદી સ્વસ્થ થઈ જાય.”
Devastating news from Banaskantha. I am extremely pained by the loss of lives due to an accident. In this hour of grief, my thoughts are with the bereaved families.
The local administration is providing all possible help to the injured. May they recover soon.
— Narendra Modi (@narendramodi) September 30, 2019
મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી રુપાણીએ કહ્યું, ત્રિશૂલિયા ઘાટ પાસે આ પીડાદાયક ઘટના બની છે. અધિકારીઓને બનતી તમામ મદદ કરવા માટે સુચના આપવામાં આવી છે. જે લોકો ઘાયલ છે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના છે. મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ તેમણે કરી છે.
Saddened by the loss of lives due to a road accident near Trisulia Ghat (On Danta road). Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.
Om Shanti…
— Vijay Rupani (@vijayrupanibjp) September 30, 2019
from Page Array – I Am Gujarat https://ift.tt/2oPLml9
No comments:
Post a Comment