Latest

Tuesday, October 29, 2019

મહેનત-પ્રાર્થના બેઅસર, 3 દિવસ બાદ બોરવેલમાંથી મળ્યો સુજીતનો મૃતદેહ

ચેન્નઈઃ તામિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લા એક ગામમાં ઉંડા બોરવેલમાં પડેલો બે વર્ષનો બાળક સુજીત વિલ્સન આખેર મૃત્યુ સામેની જંગમાં હારી ગયો. સુજીતને બચાવવા માટે 15થી વધારે ટીમો કામ લાગી હતી અને દેશભરમાં દિવાળીના તહેવારો વચ્ચે પણ લોકોએ સમય કાઢીને પ્રાર્થના યોજી હતી. જોકે ન મહેનત કામ લાગી કે ન લોકોની પ્રાર્થના 3 દિવસ બાદ બોલવેલમાંથી સુજીત મળ્યો તો ખરા પરંતુ મૃત સ્થિતિમાં.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

તામિલનાડુના ટ્રાન્સપોર્ટ વિભાગના પ્રધાન સચિવ જે. રાધાકૃષ્ણને મંગળવારે નિવેદન આપ્યું કે, સુજીતનો મૃતદેહ ખૂબ જ ખરાબ સ્થિતિમાં મળી આવ્યો છે. તેને જીવિત બહાર કાઢવાના આમારા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. જે બોરવેલમાં બાળક પડ્યો હતો તેમાંથી મૃતદેહ સડવાની વાસ આવવા લાગી હતી. મૃતદેહને નજીકની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

શનિવારે સાંજે બોરવેલમાં પડેલા સુજીતને બચાવવા માટે SDRF અને NDRFની ટીમો સાથે અન્ય કેટલીક પ્રાઈવેટ સંસ્થાના સ્વયંસેવકો, રાજ્ય પોલીસ, સ્થાનિક તંત્રની ટીમો કામે લાગી હતી. શનિવાર રાતથી દિવસ રાત સુજીતને બચાવવા માટે 100થી વધુ લોકોની ટીમ કામે લાગી હતી જોકે અનેક પ્રયાસો છતા માસૂમને બચાવવામાં ટીમ સફળ રહી નહોતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2orOfZB

No comments:

Post a Comment

Pages