Latest

Monday, October 28, 2019

પોળમાં આજે પણ પરંપરાગત રીતે ઉજવણી થાય છે, પશ્ચિમ અમદાવાદના લોકો દિવાળી ઉજવવા પોળમાં જાય છે

નિકુંજ સોની, અમદાવાદઃ દિવાળીની સવાર પડે એટલે અમદાવાદના પોળ વિસ્તારમાં મંદિરનો ઘંટારવ સંભળાવા માંડે. આમ તો આખું વર્ષ શહેરમાંથી બહારની તરફ ટ્રાફિક જતો હોય છે પરંતુ નવા વર્ષના દિવસે શહેરની બહારથી લોકો પોળમાં આવે છે. એક સમયે પોળમાં રહેતા અમદાવાદીઓ તેમના જૂના પાડોશીઓને મળવા આવે છે. તે ભલે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સેટલ થઈ ગયા હોય પરંતુ તેમની વચ્ચે હજુ પણ એકતા અકબંધ છે જે તેમને પોળ તરફ પાછા ખેંચી લાવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરુ કરવા અહીં ક્લિક કરો

અમદાવાદને કંઈ અમસ્તુ જ વર્લ્ડ હેરિટેજ સિટીનું ટેગ નથી મળ્યું. શાહપુર 28 વર્ષ પહેલા શાહપુર છોડી નીકળેલા ધર્મેન્દ્ર શાહ અને ફેમિલી દર દિવાળીએ જૂના પાડોશમાં પાછા ફરે છે. તે જણાવે છે, “અમે અમારા જૂના પાડોશીઓને મળીએ છીએ અને દિવાળીની શભેચ્છા આપે છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં જે રીતે દિવાળી ઉજવાય છે તેમાં આસમાન જમીનનો ફરક છે.”

નવા અમદાવાદમાં રહેતા લોકો દિવાળીમાં ફેમિલીને મળવાને બદલે ફરવા જવાનું પસંદ કરે છે. તેઓ દિવાળી ઉજવવાની પરંપરાગત રીત જ ભૂલી ગયા છે. આ રિવાજ હજુ પણ જૂના શહેરમાં જીવંત છે. ત્યાંના પોઝિટિવ વાઈબ્રેશનના કારણે નવા અમદાવાદમાં વસનાર પોળવાસીઓ પણ દિવાળીએ પોળ પાછા ફરે છે.

ધર્મેન્દ્ર શાહ વધુમાં જણાવે છે, “મને હજુ પણ એ દિવસો યાદ છે જ્યારે હું અને મારા મિત્રો પોળમાં ભેગા થતા, પૂજા કરતા, ફટાકડા ફોડતા અને એકબીજાને મીઠાઈ અને નાસ્તો ખવડાવતા.” પોળમાં હજુ પણ આ રિવાજ ખાસ બદલાયો નથી. 43 વર્ષના ગુસા પારેખ માણેક ચોકની પોળમાં રહે છે. તેઓ જણાવે છે, “અમે એકબીજાના ઘરે જઈએ છીએ અને એક બીજાના નાસ્તા બનાવવામાં મદદ કરીએ છીએ. જ્યારે વધુ લોકો કામ કરનારા હોય તો કામ કરવાની મજા આવે છે. અમે એકબીજા માટે સાથે કપડા અને ભેટ ખરીદીએ છીએ. રંગોળી કરવામાં પણ અમે એકબીજાની મદદ કરીએ છીએ. જેટલા વધારે લોકો હોય એટલી વધુ મજા આવે.”

સુરદાસ શેઠની પોળમાં રહેતા નિશા મહેતા જણાવે છે, “દિવાળીના 15 દિવસ પહેલા હું અને મારા પાડોશીઓ કોના ઘરે કેવી મીઠાઈ અને નાસ્તા બનાવવા એનું આયોજન કરીએ છીએ. આ રીતે કામનું ભારણ ઘટી જાય છે અને મજા પણ આવે છે. આનાથી અમારો બોન્ડ મજબૂત બને છે. અમે બધા એક પરિવાર જેવા છે. આવો અનુભવ બીજે ક્યાંય નથી મળતો.”

25 વર્ષ પહેલા એસ.જી હાઈવે શિફ્ટ થયેલા ધવલ પડિયા આજે પણ રાયપુર દરવાજા નજીક પોળની મુલાકાત લે છે. તે કહે છે, “હું ક્યારેય પોળમાં દિવાળી ઉજવવાનો મોકો ક્યારેય ચૂકતો નથી. મારા મિત્રો અને પરિવાર હજુ અહીં રહે છે. તે અમને જમવા બોલાવે છે. અમે દિવાળી પ્રગટાવીએ છીએ અને ફટાકડા ફોડીએ છીએ. શહેરના નવા ભાગમાં સગવડ ભલે વધારે હોય પરંતુ લાગણી તો પોળમાં જ છે.”

ધરમેન્દ્ર શાહ જણાવે છે, “બાળક તરીકે અમે 4 વાગે ઊઠી જતા હતા અને બધા ઘરે સબરસ આપવા જતા હતા. પરિવારજનો અમને 1 રૂપિયો કે 50 પૈસા આપતા હતા. અમે ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરતા અને બધાના ઘરે જઈને મીઠાઈ ખાતા.” લેખક એસ્થર ડેવિડ જણાવે છે, “જૂના અને નવા અમદાવાદમાં ફરક એ છે કે જૂના અમદાવાદમાં ઘરો એકબીજાની ખૂબ નજીક હતા. અહીં બારણા હંમેશા ખૂલ્લા હોય છે. જ્યારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં આવું ચલણ નથી. આ ઉપરાંત જૂના શહેરમાં 2-3 પેઢી સાથે મોટી થઈ છે. આથી તેમની વચ્ચે બોન્ડિંગ વધુ મજબૂત છે. તે એકબીજા સાથે નિયમિત વાત કરે છે અને ભોજન પણ શેર કરે છે. દિવાળી દરમિયાન એકતાની આ ભાવના બુલંદીએ પહોંચે છે. આથી અહીંના લોકોના સાલસ અને મૈત્રીપૂર્ણ સ્વભાવને કારણે અમુક વિદેશીઓ પણ દિવાળી ઓલ્ડ સિટીમાં ઉજવવાનું પસંદ કરે છે.”

હેરિટેજ એક્સપર્ટ્સનું માનવું છે કે પોળમાં કોમની ભાવના વધુ મજબૂત હોય છે. દેબાશિષ નાયક કહે છે, “અહીં લોકો ધાર્મિક વિધિઓમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લે છે, રંગોળી કરે છે, ફટાકડા ફોડે છે અને સાથે રંગોળી ઉજવે છે. જૂના શહેરમાં ભાઈચારા અને કોમ્યુનિટીની ભાવના વધુ મજબૂત જોવા મળે છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2MR8g51

No comments:

Post a Comment

Pages