અમદાવાદઃ દિવાળીના તહેવારની ઉજવણી મોહનથાળ, મગસ, લાડુ અને ઘૂઘરા જેની મીઠાઈ અને ફરસી પુરી, ચકરી, મઠીયા, ચોળાફળી તથા ચેવડા જેવા ફરસાણ વિના અધૂરી મનાય છે. હાલના સમયમાં ઘરે મીઠાઈ બનાવવાના બદલે બહારથી જ ખરીદીને મહેમાનોને આપવાની પરંપરા શરૂ થઈ છે. પરંતુ શહેરના કેટલાક ઘરોમાં આજે પણ ઘરે મીઠાઈ બનાવવાની પરંપરા જાળવી રાખી છે. જેથી આગામી પેઢી પણ તે શીખી શકે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
શહેરના કાલુપુરમાં આવેલી હાજા પટેલની પોળમાં રહેતા ધનલક્ષ્મી પઢ જેઓ કાળા રામજી મંદિરના પંડિત પરિવારના સદસ્ય છે તેઓ જણાવે છે કે, તેમનો પરિવાર મોહનથાળ, અંજીર પાક, ખજૂર પાક, રવાની બરફી, ટોપરા પાક, ઠોર, મગસ અને ઘુઘરા જેવી મીઠાઈ દિવાળીમાં તથા માતાજીને ધરાવા માટે ઘરે જ બનાવે છે. આ વિશે વાત કરતા હેતલ પઢ જણાવે છે, ફૂડ પવિત્ર છે અને તેના વિના તહેવાર પૂરો ન થઈ શકે. પેઢીઓથી અમારે ત્યાં ઘરે મીઠાઈ બનાવવાની પરંપરા ચલી રહી છે.
જ્યારે ખાવાના શોખીન અભિનિશા અસારા અને તેમના સાસુ બિના પરંપરાગત મીઠાઈને નવા ટ્વિસ્ટ સાથે બનાવી રહ્યા છે. બિના અસારા કહે છે, મારા મોટા દીકરાને મગસ અને નાના દીકરાને કોપરા પાક બહુ ભાવે છે. અમે આ બંને મીઠાઈને ભેગી કરીને એક બનાવી છે. અને તે બધાને બહુ ભાવે છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2WfWp3L
No comments:
Post a Comment