Latest

Tuesday, October 29, 2019

આજે ભાઈબીજ પર બંધ થશે કેદારનાથના કપાટ, હવે છ મહિના માટે દર્શન બંધ

ભાઈબીજના તહેવાર પર આજે યમુનોત્રી મંદિર અને કેદારનાથ ધામના કપાટ શિયાળા માટે બંધ થઈ જશે. યમુનોત્રી મંદિર સમિતિના ઉપાધ્યક્ષ જગમોહન ઉનિયાલે જણાવ્યું કે ભાઈબીજે સવારે આઠ વાગે ખરસાલીથી યમુનાજીના ભાઈ શનિ મહારાજ સમેશ્વર દેવતાની ડોલી યમુનાજીને વિદાય કરવા માટે યમુનોત્રી જવા રવાના થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો

બપોરે 12.25 વાગે અભિજિત મુહૂર્તમાં યમુનોત્રી મંદિરના કપાટ શીતકાળ માટે બંધ કરી દેવામાં આવશે. યમુનાજીની ઉત્સવ મૂર્તિને ડોલી યાત્રા સાથે ખરસાલી લાવવામાં આવશે. અહીં વિધિ વિધાન અનુષ્ઠાન સાથે યમુનાજીની મૂર્તિને યમુના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

કેદારનાથ ધામના કપાટ સવારે 8.30 વાગે બંધ કરવામાં આવશે. બાબા કેદારની પંચમુખી ભોગમૂર્તિ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન થઈને પોતાના શીતકાલીન ગાદીસ્થળ ઓંકારેશ્વર મંદિર માટે પ્રસ્થાન કરતા પહેલા વિરામ માટે રામપુર પહોંચશે. 31 ઓક્ટોબરે બાબાની ભોગમૂર્તિને ઓંકારેશ્વર મંદિરમાં છ મહિનાની પૂજા-અર્ચના માટે વિરાજમાન કરવામાં આવશે.

કપાટ બંધ કરવાની બધી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મુખ્ય પૂજારી કેદાર લિંગ દ્વારા બાબાના સ્વયંભૂ જ્યોતિર્લિંગને સમાધિનું રૂપ આપી ભસ્મથી ઢાંકી દેવામાં આવશે. આ પ્રસંગે પંચમુખી ભોગ મૂર્તિનો શૃંગાર કરીને ચલ વિગ્રહ ઉત્સવ ડોલીમાં વિરાજમાન કરવામાં આવશે. પરંપરા અનુસાર સવારે 6.30 વાગ્યે ભગવાન કેદારનાથની પંચમુખી મૂર્તિને ડોલીમાં રાખી મંદિર પરિસરમાં ભક્તોના દર્શન માટે રાખવામાં આવશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Ju0Ti0

No comments:

Post a Comment

Pages