Latest

Sunday, October 13, 2019

ગુજરાતની ઓટો ઈન્ડસ્ટ્રીને મંદીનું ગ્રહણ, સતત બીજા ક્વાર્ટરમાં ઘટ્યું પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ

અમદાવાદઃ ઓછી ઈચ્છાશક્તિ, ગ્રાહકોની નબળી ડિમાન્ડ અને કેશફ્લો સંકટના કારણે ફરી એકવાર ગુજરાતમાં પેસેન્જર વ્હીકલ્સની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો છે. કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રાલયના ડેટા મુજબ, નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ક્વાર્ટરમાં ગુજરાતમાં પેસેન્જર વ્હીકલ્સ કાર અને ટુ-વ્હીલર્સની ડિમાન્ડ 8 ટકા જેટલી ઘટી ગઈ છે.

2018-19ના બીજા ક્વાર્ટરમાં 3.7 લાખ વાહનોના રજીસ્ટ્રેશન સામે ચાલું નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં તે ઘટીને 3.4 લાખે પહોંચી છે. 2019-20ના બીજા ક્વાર્ટરમાં અંદાજે 2.6 લાખ ટુ-વ્હીલર્સનું રજીસ્ટ્રેશન થયું છે જે પાછલા વર્ષના બીજા ક્વાર્ટરમાં 2.9 લાખ હતું. આમ ટુ-વ્હીલર્સ રજીસ્ટ્રેશનમાં 10.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. આવી જ રીતે પાછલા નાણાંકીય વર્ષમાં 88,000 કાર્સનું રજીસ્ટ્રેશન થયું હતું જે આ વર્ષે ઘટીને 82,000 રહ્યું છે. આમ કારના વેચાણમાં પણ 6.8 ટકા ઘટાડો નોંધાયો.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સુગતો સેન કહે છે, ઈકોનોમીનું ઓવરઓલ પ્રદર્શન સારું નથી રહ્યું. પરિણામે વાહન ખરીદવા લોકોનો વિશ્વાસ અને વિચાર ઘટી રહ્યો છે. નવરાત્રી અને દશેરાની ફેસ્ટિવ સીઝનમાં પણ કોઈ ખાસ ફાયદો નહોતો રહ્યો.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશનના ડિરેક્ટર પ્રણવ શાહ કહે છે, નવરાત્રી-દશેરાના 10 દિવસના ફેસ્ટિવ સીઝનમાં કાર અને ટુ-વ્હીલરનું વેચાણ પાછલા વર્ષની સરખામણીએ 10 ટકા ઘટ્યું. ગ્રાહકોને આકર્ષવા માટે ડિલર્સ ભારે ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી બોનસ જેવી સ્કીમો પણ રાખી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/33qiH4X

No comments:

Post a Comment

Pages