Latest

Monday, October 28, 2019

શું તમને જમ્યા બાદ પેટમાં દુખાવો રહે છે? જવાબદાર હોઈ શકે છે આ કારણો

જો તમને જમ્યા બાદ દરેક વખતે પેટમાં દુખાવો, સોજો, ગેસ કે ઊલટી જેવું થાય તો આ એક ગંભીર સમસ્યા હોઈ શકે છે. પેટમાં દુખાવો કે અપચો વિભિન્ન કારણોએ થઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલના કારણે રક્તવાહિની અવરોધાય છે. જે શરીર અને પાચનતંત્રને પ્રભાવિત કરે છે. એટલે જ્યારે તમે ભોજન કરો છો ત્યારે પેટમાં દુખાવો થાય છે. માટે જ કોલેસ્ટ્રોલનું સ્તર ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. આયુર્વેદાચાર્યના મતે નીચેના કારણો જમ્યા બાદ પેટમાં દુખાવાની સમસ્યા રહે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

અતિ સંવેદનશીલતા

જ્યારે આપણા શરીરમાં પાચકરસની અછત સર્જાય છે ત્યારે તે ભોજનને નાના-નાના કણોમાં વિભાજીત નથી કરી શકતું. જેના લીધે ભોજન બાદ પેટમાં દુખાવો શરૂ થાય છે. આ સ્થિતિને ખાદ્ય અતિસંવેદનશીલતા કહેવાય છે. આના લીધે કબજિયાત, ઝાડા, ગેસ જેવી સમસ્યા થાય છે.

ફૂડ એલર્જી

આ પણ ખાદ્ય અતિસંવેદનશીલતા જેવું જ છે. ફૂડ એલર્જી હોય તો આપણું શરીર કેટલાક પ્રકારના ખોરાકને સ્વીકાર નથી કરી શકતું. જુદા-જુદા પ્રકારની ફૂડ એલર્જી પ્રચલિત છે જેમકે, ડેરી, સ્ટાર્ચ, મસાલા અને અનાજની એલર્જી પણ થઈ શકે છે.

ગ્લૂટેન ન પચવું

જ્યારે આપણું શરીર ગ્લૂટેન પચાવી ના શકે ત્યારે તેને સીલિએક રોગ કહે છે. આ એક પ્રકારનું પ્રોટીન જે રાઈ, બેસન, સોજી, ઘઉં વગેરે ખાદ્ય પદાર્થોમાં રહેલું હોય છે. જેની અસર નાના આંતરડા પર થાય છે જે પાચનને મુશ્કેલ બનાવે છે.

કબજિયાતની સમસ્યા

જો કબજિયાતની સમસ્યા હોય તો ભયંકર પેટનો દુખાવો થાય છે. જ્યારે બોવેલ મૂમેન્ટ બરાબર ના થાય ત્યારે મળ બહાર નીકળતો નથી. એવામાં નવો ખોરાક પચવો મુશ્કેલ બની જાય છે. જેના કારણે પેટમાં દુખાવો કે સોજો થાય છે.

પેટ ફુલવાની અને કબજિયાતની સમસ્યામાં રાહત અપવાશે દ્રાક્ષ



from Page Array – I Am Gujarat https://ift.tt/2JoLzmv

No comments:

Post a Comment

Pages