મુંબઈઃ મહારાષ્ટ્રમાં CM પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે અમિત શાહ આગામી 30 ઓક્ટોબરે મુંબઈ પહોંચી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અધ્યક્ષ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓની આ મુલાકાતથી મહારાષ્ટ્રના રાજકરણમાં આવેલ આ રાજકીય સંકટનો અંત આવી શકે છે. તો બીજી તરફ બે અપક્ષ ઉમેદવારે શિવસેનાને ટેકો જાહેર કરતા શિવસેનાનો આંકડો 60 સુધી પહોંચી ગયો છે. જેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. ભાજપ અને શિવસેા બંને અપક્ષ ઉમેદવારોને પોતાની તરફ ખેંચવા ભરસક પ્રયાસ કરી રહ્યા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
મહત્વનું છે કે ભાજપ 30 ઓક્ટોબરના રોજ દેવેન્દ્ર ફડણવીસની પોતાના વિધાનસભા દળના નેતા તરીકે વરણી કરશે. તો બીજી તરફ મહારાષ્ટ્રના પ્રવક્તા ગિરીશ વ્યાસે નાગપુરમાં મીડિયા સાથે વાત કરાત કહ્યું કે, ‘શાહ આ પહેલા પણ માતોશ્રી જઈ ચૂક્યા છે જેથી આ મુલાકાત ફક્ત એક શિષ્ટાચાર મુલાકત જ રહેશે.’ મહારાષ્ટ્ર ચાલી રહેલા રાજકીય ગજગ્રાહમાં ભાજપ કે શિવસેના કોઈ નથી ઈચ્છતું કે તેમની છબી નબળી પડે.
રવિવારે ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, શિવસેના અને ભાજપ મળીને સરકાર રચશે તેવી આશા છે. જ્યારે કોંગ્રેસ તરફથી શિવસેનાને સરકાર બનાવવા માટે આમંત્રણ અંગે બોલતા તેમણે કહ્યું કે, ‘ઉદ્ધવ બાળ ઠાકરેના દીકરા છે. તેઓ પોતાના પિતાના સિદ્ધાંતો વિરુદ્ધ કોંગ્રેસ સાથે હાથ નહીં મેળવે. કોંગ્રેસ ભરોસાપાત્ર નથી. કોંગ્રેસ સિદ્ધાંત અને વિચારધારા મામેલ એકદમ અલગ છે.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2WhYDj7
No comments:
Post a Comment