નિમેષ ખાખરીયાઃ ઘોઘા અને દહેજ વચ્ચેની બહુચર્ચિત રો-રો ફેરી સેવા નજીકના ભવિષ્યમાં શરૂ થાય તેવા કોઈ આસાર જણાતા નથી. દહેજ ખાતે નર્મદાનું પાણી ઓવરફ્લો થતાં 24 સપ્ટેમ્બરના રોજ દહેજ બંદરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે આ સેવા અટકાવી દેવામાં આવી હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ ઘટનાને એક મહિનો થઈ ચૂક્યો છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ સેવા ફરી ક્યારે શરૂ થશે. સેવા ફરી શરૂ કરવા માટે એકઠો થયેલો કાંપ દૂર કરવો પડે. જે પ્રક્રિયા ગુજરાત મેરીટાઇમ બોર્ડને મોંઘી પડે છે.
ફેરી શરૂ કરવા માટે 5 મીટર ઊંડા કિનારાની જરૂર પડે છે, પરંતુ 14 ઑક્ટોબરથી શરૂ થયેલી આ પ્રક્રિયામાં હજૂ સુધી 2 મીટર સુધીની સફાઈ થઈ શકી છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડના સીઈઓ મુકેશ કુમારે કહ્યું કે, ‘નર્મદા નદીના પાણીનો ઇનફ્લો ખૂબ જ વધારે છે. પ્રતિ દિવસ 8 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું છે જેના કારણે પાણી સાથે આવતો કાદવ પોર્ટની આસપાસના વિસ્તારમાં ભરાઈ જવાથી તેને દૂર કરવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને હાલની સ્થિતિમાં કહેવું મુશ્કેલ છે કે ફરી રોરો ફેરી ક્યારે શરુ કરી શકાશે.’
જ્યારે દિવાળીના કારણે સુરત-ભાવનગર વચ્ચેનો ટ્રાફિક પણ વધી ગયો છે પરંતુ રોરો ફેરી બંધ હોવાના કારણે લોકોને તો મુશ્કેલી પડી જ રહી છે સાથે સાથે બસના વધુ ભાડા પર ચૂકવવા પડી રહ્યા છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના આંકડા પર નજર નાખવામાં આવે તો આ સર્વિસ બંધ કરવામાં આવી તે પહેલા 3.31 લાખ મુસાફરોએ તેનો લાભ લીધો હતો.
ફેરી સર્વિસ ઓપરેટ કરતી ઇન્ડિગો સીવેઝ પ્રા. લી. દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ પર આરોપ મુકવામાં આવ્યો છે કે GMB સાથે થયેલા કરાર મુજબ કામ કરવામાં નથી આવ્યું રહ્યું જેના કારણે કંપની નુકસાનમાં ચાલી રહી છે. કંપનીના અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ‘અમે તો કોઈપણ ક્ષણે આ સર્વિસ શરુ કરવા માટે તૈયાર છીએ પરંતુ જે રીતે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે તેમ ગુજરાત મેરીટાઈમ બોર્ડની ફરજે આવતું કાદવ દૂર કરવાનું કામ પૂરું કરી રહ્યું નથી. આ કારણે હાલ અમને પ્રતિ દિવસ રુ. 20 લાખનું નુકસાન જઈ રહ્યું છે.’
Video: જોઈ લ્યો અયોધ્યાની અદભૂત દિવાળી, 5 લાખ દિવડાથી ઝળહળ્યું અયોધ્યા
from Page Array – I Am Gujarat https://ift.tt/32S4E8n
No comments:
Post a Comment