Latest

Sunday, October 27, 2019

ઇક્વિટી માર્કેટ માટે ઘરઆંગણાના વાતાવરણમાં સુધારો



71739780

વિનોદ નાયર, હેડ, રિસર્ચ, જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસ

આપણી પાસે ત્રણ ચાવીરૂપ પરિબળો છે જે વિશ્વના અર્થતંત્ર અને ઇક્વિટી માર્કેટને અસર કરે છે: અમેરિકા-ચીન વચ્ચેનું વ્યાપારયુદ્ધ, બ્રેક્ઝિટ અને જિયો-પોલિટિકલ પ્રશ્નો. આપણે વ્યાપાર વાટાઘાટોના સંદર્ભમાં તથા યુકે અને ઇયુ વચ્ચેના સોદાના સંદર્ભમાં પોઝિટિવ ઘટનાઓ વિશે સાંભળી રહ્યા છીએ.

વ્યાપાર તથા રોકાણમાં ઘટાડાના કારણે વૈશ્વિક અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. અવરોધોને દૂર કરીને અર્થતંત્રમાં સુધારાની આશા સાથે સોદાની અપેક્ષામાં ઇક્વિટી માર્કેટ માટે હેંગઓવરમાં ઘટાડો થઈ શકે. ઊભરતાં બજારોમાં એફઆઇઆઇનો નાણાપ્રવાહ સુધરશે કેમ કે સિસ્ટમમાં જોખમમાં ઘટાડો થયો છે.

ભારતમાં ટેક્સેશનમાં કાપ તથા પ્રોત્સાહનો સાથે આર્થિક પરિસ્થિતિને સુધારવાનો સરકારનો ઉદ્દેશ ઇક્વિટીમાં લાંબા ગાળામાં સમૃદ્ધિના સર્જન માટે ઘણો હકારાત્મક સાબિત થશે. ભવિષ્યમાં અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે વધારે રાજકોષીય પ્રોત્સાહનો આપવામાં આવશે તેવું નિવેદન બજારના સેન્ટિમેન્ટને સુધારી રહ્યું છે. ઘરઆંગણાના ઇક્વિટી માર્કેટ માટે જોખમ લેવાની ક્ષમતામાં સુધારો થઈ રહ્યો છે જેની સાથે આશાવાદ છે કે પ્રોત્સાહનો, તહેવારોની માંગ, સારું ચોમાસુ તથા નીચા વ્યાજના દરની આગેવાની હેઠળ અર્થતંત્રમાં સુધારો આવશે.

બેન્કિંગ સેક્ટર માટેનાં બીજા ક્વાર્ટરનાં પરિણામો બેઝ ઇફેક્ટના કારણે, જોગવાઈઓમાં ઘટાડાના કારણે તથા એનપીએ રિઝોલ્યુશનના મોરચે હકારાત્મક માનસ વચ્ચે અપેક્ષા કરતાં વધારે સારા છે. પ્રવાહિતામાં વધારો તથા ઓપરેટિંગ ખર્ચમાં કાપની આગેવાની હેઠળ ભવિષ્ય માટેનું આઉટલૂક સુધરી રહ્યું છે. નકારાત્મકતા એ છે કે સ્ટોક સ્પેસિફિક પ્રશ્નો સાથે સ્લિપેજ હજુ પણ ઉદ્‌ભવી રહ્યા છે. પરંતુ આકર્ષક વેલ્યુએશનને જોતાં બેન્કિંગ સેક્ટર સારી કામગીરી કરશે તથા બજારને ભવિષ્યમાં આઉટપરફોર્મ કરશે. એવું દેખાય છે કે હાલના તબક્કે ઘરઆંગણાના બજારમાં નેગેટિવ પરિબળોનો મોટા ભાગનો હિસ્સો પચી ગયો છે.

સામાન્ય રીતે અર્થતંત્રની વૃદ્ધિની શરૂઆત થાય તે અગાઉ ઇક્વિટી માર્કેટમાં સુધારો આવે છે. ઇક્વિટી માર્કેટ અને અર્થતંત્ર વચ્ચે ટ્રાન્સિટરી લેગ ત્રણથી 12 મહિનાનો હોઈ શકે છે જેનો આધાર ઇકોનોમિક સાઇકલ પર હોય છે. હાલના તબક્કે ખાનગી સેક્ટર રોકાણ કરતું નથી જ્યારે ક્ષમતાનો વપરાશ એક દાયકાના નીચા સ્તર પર છે. ભારત માટે આર્થિક સમસ્યા માળખાગત તથા સાઇક્લિકલ મુદ્દાનું મિશ્રણ છે. સાઇક્લિકલ સમસ્યાઓના કારણે પાછલાં બે વર્ષથી અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે જે માળખાગત પ્રશ્નોના કારણે લંબાયું છે.

સુધારા લાગુ કરીને માળખાગત સમસ્યાઓને આજે હલ કરવામાં આવી રહી છે. સૌથી મોટી ચિંતા એનપીએ સમસ્યાઓની આગેવાની હેઠળ બેન્કિંગ સેક્ટરની નબળી આર્થિક સ્થિતિ છે, એનપીએ તેના ટોચના સ્તરે છે અને બજારને આશા છે કે આગામી ક્વાર્ટર્સમાં તેને દૂર કરવામાં આવશે.

વ્યાજના દરમાં તથા ટેક્સના દરમાં ઘટાડો ઇક્વિટી માટે ઘણો પોઝિટિવ છે. આવા સમયગાળા દરમિયાન તેઓ બોન્ડ્ઝ, કોમોડિટી, સોના અને ચલણ જેવા અન્ય અસ્કામતોને આઉટપરફોર્મ કરે છે. સામાન્ય રીતે વ્યાજના દરો સાઇકલની બોટમની નજીક પહોંચે ત્યારે સારી કામગીરી દર્શાવવાની શરૂઆત કરે છે.

ભારતમાં રેપો રેટ નવ વર્ષના નીચા સ્તરે

5.15 ટકા છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મધ્યમ ગાળામાં તેના ઘટાડાના વલણને જાળવી રાખે તેવી શક્યતા છે. વૈશ્વિક સ્તરે યુરો એરિયામાં વ્યાજના દર લાંબા ગાળાથી ઝીરો છે પરંતુ અર્થતંત્ર સુધર્યા નથી જ્યારે અમેરિકામાં અર્થતંત્રમાં સ્લોડાઉનની શરૂઆત થતાં તે 10 વર્ષની ટોચ પરથી નીચે આવી રહ્યા છે. આમ મિશ્ર પ્રવાહ છે, ભારતમાં તીવ્ર ઘટાડો, અમેરિકામાં ઘટાડાની શરૂઆત તથા યુરોપમાં સૌથી નીચા સ્લોપમાં છે. જોકે, ભારતમાં ઇક્વિટીમાં સારી કામગીરી કરવા માટે તેના ઘટતા જતા વ્યાજના દર સાથે તથા કર સુધારણા સાથે ફાયદો છે.

<b>ડિસ્ક્લેમર :</b>વિવિધ બ્રોકરેજ , વિશ્લેષકો અને ફંડ મેનેજરો દ્વારા આ પાના પર દર્શાવાયેલા વિચારો તેમના પોતાના છે. વાચકોએ આ ભલામણોનો અમલ કરતાં પહેલાં વ્યાવસાયિક સલાહકારોની સલાહ જરૂરી છે. ઈટી અહીં દર્શાવેલી પસંદગી માટે જવાબદાર નથી. www.economictimes.com પર ઈટીના સિદ્ધાંતોની આચારસંહિતા ચકાસવા વિનંતી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2pUOjS1

No comments:

Post a Comment

Pages