અમદાવાદઃ અમદાવાદીઓએ રવિવારે દીવાના પ્રકાશ, ફટાકડાના ધમાકા અને રંગબેરંગી રંગોળીથી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. લોકોએ પરિવાર સાથે દિવાળી ઉજવવાનું નક્કી કરતા શહેરના રસ્તા પર નહિવત્ ભીડ જોવા મળી હતી. વેપારીઓએ વિક્રમ સંવત 2076ના નવા વર્ષ માટે ચોપડા પૂજન કર્યું હતું. શહેરના અનેક મંદિરોએ વેપારીઓ માટે ચોપડા પૂજનનું આયોજન કર્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરુ કરવા અહીં ક્લિક કરો

શહેરના એક વેપારી અભિષેક પરમારે જણાવ્યું કે હવે બધા હિસાબો કોમ્પ્યુટર પર જ થતા હોવા છતાં તે ચોપડા પૂજન કરવામાં માને છે. જો કે તે શાહીબાગ BAPS મંદિરે લેપટોપ અને હાર્ડ ડ્રાઈવ લઈને પણ આવ્યા હતા. શહેરના અનેક મંદિરોમાં દિવાળીના તહેવારની ઉજવણી માટે અન્નકૂટનું આયોજન કરાયું હતું. ભક્તોએ કરેલી સુંદર રંગોળી પણ મંદિરોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. કામેશ્વર મહાદેવ, ભદ્રકાળી મંદિર, કાળા રામજી મંદિર સહિત અનેક મંદિરોમાં સોમવારે અન્નકૂટ થશે જ્યાં ભગવાનને 100 કરતા વધુ મીઠાઈ અને વાનગીઓ ધરાવવામાં આવશે.
ભાડજના હરે કૃષ્ણા મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે ગોવર્ધન પર્વતના સ્વરૂપમાં 1000 કિલોની કેક લાવવામાં આવશે. તેમણે કહ્યું, “સોમવારે સોનાના રથમાં ભગવાનની પૂજાની સાથે સાથે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવશે.”
શહેરની હોસ્પિટલ્સ અને EMRI 108 ના અધિકારીઓએ જણાવ્યું કે શુક્ર અને શનિવારે દાઝવાના કોઈ ગંભીર બનાવો બન્યા નહતા. EMRIના એક અધિકારીએ જણાવ્યું, “સામાન્ય રીતે દિવાળી અને નવા વર્ષે દાઝવાના અનેક બનાવો બને છે. અમે ઈમર્જન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની ગોઠવણી સમજી વિચારીને કરી છે.”

from Page Array – I Am Gujarat https://ift.tt/2MR4KaZ
No comments:
Post a Comment