Latest

Sunday, October 27, 2019

અ’વાદ: બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ‘ગ્રીન ફટાકડા’, વેપારીઓમાં પણ જાણકારીનો અભાવ

પૉલ જ્હોન, અમદાવાદ: સુપ્રીમ કોર્ટે ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા એટલે કે ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આ દિવાળીએ ગુજરાતના બજારોમાં ગ્રીન ફટાકડાની એન્ટ્રી થવાની હતી. આ ફટાકડા પર નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ (NEERI) અને પેટ્રોલિયમ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO)નું સર્ટિફિકેટ અને QR કોડ હોય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, શહેરના બે સૌથી મોટા ફટાકડા માર્કેટમાં ઘણા બોક્સ પર ‘ગ્રીન ફટાકડા’ લખેલું હતું પરંતુ PESO કે NEERI પ્રમાણિત સર્ટિફિકેટ નહોતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

દિલ્હી દરવાજાના ફટાકડા બજારમાં એક દુકાન માલિક રહીમ શેખે કહ્યું, “અમને કોઈ સપ્લાયરે ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડા વિશે જાણકારી આપી નહોતી. અમે તો ગ્રીન લોગો જોયા એટલે માની લીધું કે આ ગ્રીન ફટાકડા હશે. જો કે, તેનો મતલબ શું થાય તે જાણતા નથી.” આટલું જ નહીં અહીંના એકપણ વેપારીને ખબર નથી કે ગ્રીન ફટાકડા વેચવા માટે પોલીસ મંજૂરી આપે છે.

ગ્રીન ફટાકડા 35-40% ઓછું ઝેરી પાર્ટિક્યુલેટ મેટર (PM 10 અને PM 2.5) બહાર કાઢે છે. ફટાકડામાં એલ્યુમિનિયમ તત્વ નહીંવત પ્રમાણમાં હોય છે જ્યારે બેરિયમ સૉલ્ટ અને રાખનો ઉપયોગ થતો નથી. આ ઉપરાંત ગ્રીન ફટાકડા 35-40 ટકા ઓછું સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ બહાર કાઢે છે. કેટલાક ફટાકડા જે ‘રાજકુમાર’ તરીકે ઓળખાય છે તેના પર PKSN રોડ, શિવાકાશીનું એડ્રેસ છે. આ ફટાકડા પર ગ્રીન ફટાકડાનો સિમ્બોલ છે પરંતુ NEERI અને PESO પ્રમાણિત નથી. આ જ પ્રકારે ‘આઈ-સ્પીન’ અને ‘જુરાસિક પાર્ક’ નામના ફટાકડામાં પણ છે.

NEERIની વેબસાઈટ પ્રમાણે, ઉત્પાદકોને 530 સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. ઉપરાંત 230 MoU અને 165 NDA (નોન-ડિસ્ક્લોઝર એગ્રિમેન્ટ) દેશભરના ફટાકડા ઉત્પાદકો સાથે કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ભાવનગરની એક જ કંપનીના બે યુનિટને લાઈસન્સ આપવામાં આવ્યા છે. શહેરની એક સ્કૂલના શિક્ષિકા સુલોચના પારેખ તેમના દીકરા પ્રતિક સાથે કોઠી ખરીદવા આવ્યા હતા. તેમણે કહ્યું, “હું મારા સાત વર્ષના દીકરાને અવાજ વિનાના અને રંગીન ફટાકડા ખરીદવાનું શીખવી રહી છું. આપણા શહેરમાં ગ્રીન ફટાકડાની જાગૃતિનો અભાવ છે એટલે મને આ વિશે ખાસ જાણકારી નથી.”

કાલુપુર ફટાકડા બજારમાં ફટાકડાની દુકાનના માલિકે પ્રવિણ પરમારે કહ્યું, “અમને હતું આ વર્ષે ફટાકડાનું વેચાણ ઓછું થશે એટલે અમે એવા સપ્લાયર પર પસંદગી ઉતારી જે સારો ભાવ આપે. અમને નથી ખબર કે આ ફટાકડા ઈકો-ફ્રેન્ડલી કે ગ્રીન ફટાકડા છે કે નહિ.” તો આ તરફ દિવાળીમાં સક્રિય થતા ચોરોની ચોરી નિષ્ફળ બનાવવા માટે અમદાવાદ પોલીસ સતર્ક છે. અહીંના ચોરોમાં એવી માન્યતા છે કે કાળીચૌદશની રાત્રે ચોરી સફળ થાય તો આખું વર્ષ સારું રહે છે. આવા બનાવો નાથવા માટે શનિવારે પોલીસ ખડેપગે હતી. સીનિયર પોલીસકર્મીઓ અને ખાસ કરીને શહેર ક્રાઈમબ્રાંચે રાત્રે પેટ્રોલિંગ માટે ટીમ તૈયાર કરી હતી. ક્રાઈમબ્રાંચના એસીપી બી. વી. ગોહિલે કહ્યું, તેઓ રીઢા ચોરો પર નજર રાખીને બેઠા છે.

અમદાવાદમાં આ જગ્યાએ બને છે ફટાકડા, 10 સેકન્ડમાં ફૂટી જતા ફટાકડાને બનાવતા લાગે છે 10 કલાક



from Page Array – I Am Gujarat https://ift.tt/2Nj92GS

No comments:

Post a Comment

Pages