ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીર અત્યારે ગંભીર રીતે બીમાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તે કોઈના જીવનની ગેરન્ટી ન લઈ શકે. ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદની હોઈ કોર્ટે ટિપ્પણી કરી હતી કે સરકાર જેલમાં કેદ નવાઝ શરીફના સ્વાસ્થ્યની જવાબદારી લે. નવાઝ શરીફના પરિવારે પણ કહ્યું છે કે જો ભૂતપૂર્વ વડાપ્રધાનને કંઈ થયું તો તેના માટે ઈમરાન ખાન જવાબદાર હશે. આવામાં ઈમરાન ખાને સ્પષ્ટ નિવેદન કર્યું છે કે તે કોઈના લાઈફની ગેરન્ટી ન આપી શકે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો
ડૉન ન્યુઝ અનુસાર ઈમરાન ખાને સોમવારે નનકાના સાહિબમાં બાબા ગુરુ નાનક યુનિવર્સિટીના શિલાન્યાસ કાર્યક્રમમાં જણાવ્યું, “આજે જ મેં સમાચાર વાંચ્યા કે કોર્ટે કેન્દ્ર અને પ્રાંતની સરકારોને પૂછ્યું છે કે શું તે નવાઝ શરીફની આવતી કાલ સુધી ગેરન્ટી આપી શકે છે? હું કાલ સુધી મારા જીવનની ગેરન્ટી નથી આપી શકતો તો બીજાના જીવનની ગેરન્ટી કેવી રીતે આપી શકું?”
સ્વાસ્થ્ય અને માનવીય આધાર પર બંને અદાલત પાસેથી જામીન મળ્યાના એક દિવસ બાદ રવિવારે પાકિસ્તાનના પૂર્વ પ્રધાન નવાઝ શરીફનું સ્વાસ્થ્ય વધુ લથડી ગયુ હતુ. તેમના પ્લેટલેટ કાઉન્ટ્સ 45,000થી ઘટીને 25,000 થઈ ગયા હતા. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. નવાઝ અત્યારે લાહોરની હોસ્પિટલમાં દાખલ છે. તેમની લથડતી તબિયત જોતા હોસ્પિટલ બહાર તેમના સમર્થકોની ભીડ જામી છે. તે બધા જ નવાઝની સલામતી માટે દુઆ કરી રહ્યા છે.
હોસ્પિટલના CMO ડો. મોહમ્મદ અયાઝે પત્રકારોને જણાવ્યું કે, “નવાઝ શરીફના પ્લેટલેટ રવિવારે 45,000થી ઘટી 25,000 થઈ ગયા છે. તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધારો છે પરંતુ તેમની હાલત હજુ પણ ગંભીર છે.”
from Page Array – I Am Gujarat https://ift.tt/32V3Uzx
No comments:
Post a Comment