Latest

Sunday, November 17, 2019

આણંદઃ તલાટી કમ મંત્રી અને સરપંચ રૂ.15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

વડોદરા/આણંદઃ એન્ટી-કરપ્શન બ્યૂરોની ટીમે આણંદ જિલ્લાના તલાટી કમ મંત્રી અને સરપંચને 15,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. ACBની ટીમે શનિવારે આંકલાવ તાલુકાના હઠ્ઠીપુરા ગ્રામ પંચાયતની ઓફિસમાંથી બંનેને ધરપકડ કરી હતી. આરોપી તલાટી કમ મંત્રી મુકેશ દેસાઈ અને હઠ્ઠીપુરા ગ્રામ પંચાયતના સરપંચ સુભાષ ગોહિલ પ્રોપર્ટીના કાગળમાં નામ ઉમેરવા માટે પૈસાની માગણી કરી રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઘટનાની જાણકારી મુજબ, ફરિયાદીના મિત્ર રમણ ચૌહાણને આણંદ જિલ્લાના ધર્મજમાં પ્રોપર્ટી ખરીદવી હતી. તે ધર્મજમાં ભીખા જાધવની પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતો હતો પરંતુ આ પ્રોપર્ટી ભીખાની દીકરીના નામે હતી, જે થોડા વર્ષો પહેલા જ મૃત્યુ પામી હતી. આથી ચૌહાણે પ્રોપર્ટીના કાગળમાં નામ ટ્રાન્સફર કરવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો. જેથી ખરીદીની વાત આગળ ચાલી શકે.

પોલીસે કહ્યું કે, જોકે આ નામ ટ્રાન્સફર કરવા માટે આરોપીએ 25000 રૂપિયાની લાંચ માગી હતી. પરંતુ બાદમાં બંનેએ 15000માં કામ કરી આપવા માટે સહમત થયા. આ બાદ આણંદ ABCના ઈન્સ્પેક્ટર સી.આર રાણાએ ટ્રેપ ગોઠવી હતી. બંને આરોપીને પૈસા લેતા સમયે ગ્રામ પંચાયતની ઓફિસમાંથી રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા. તલાટી કમ મંત્રી આણંદના લાંભવેલ રોડ પર રહે છે અને મહેસાણાના રબારીવાસનો નિવાસી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2OihBm2

No comments:

Post a Comment

Pages