Latest

Monday, November 18, 2019

રિયલ્ટી AIFને ‘પ્રાયોરિટી સ્ટેટસ’ આપવાની તૈયારી



72102508

સુગાતા ઘોષ

મુંબઈ:SBI અને નાણામંત્રાલય પ્રસ્તાવિત ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) માટે કાનૂની માળખું ચકાસી રહ્યા છે. જેથી અટવાયેલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે બની રહેલા ફંડને કંપનીઓની એસેટ્સ અને રોકડ પર સૌથી પહેલાં અંકુશ મળે. જોકે, આવું કરવા માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડમાં ફેરફાર કરવા પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર IBCમાં ધિરાણકારોની સિનિયોરિટીનો કોન્સેપ્ટ સમાવવો પડશે, જે કાયદાના અત્યારના સ્વરૂપમાં નથી. નાણામંત્રાલયે આ બાબતે કાયદા મંત્રાલયની સલાહ માંગી છે. SBI અને SBI કેપિટલ માર્કેટ્સે AIFsમાં સહભાગી બનવા અન્ય બેન્કો અને નાણા સંસ્થાઓનો સંપર્ક શરૂ કર્યો છે. નિયમ મુજબ બેન્ક AIFના કુલ ભંડોળના 10 ટકા જેટલું રોકાણ કરી શકે. એટલે SBI પ્રસ્તાવિત AIFમાં મહત્તમ ₹2,500 કરોડ રોકી શકશે. એનો અર્થ એ થયો કે, અન્ય સંસ્થાકીય રોકાણકારોએ ફંડમાં ₹25,000 કરોડ ઠાલવવા પડશે. જેમાં સરકારનું યોગદાન ₹10,000 કરોડ રહેશે. ધિરાણકારોમાં AIFમાં સિનિયર સ્ટેટસ આપવાથી અન્ય બેન્કો માટે ફંડમાં રોકાણ સરળ બની શકે.

ધીર એન્ડ ધીર એસોસિયેટ્સના એસોસિયેટ પાર્ટનર આશિષ પ્યાસીએ જણાવ્યું હતું કે, “એસ્સારના ચુકાદાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC)ના કોમર્શિયલ નિર્ણયો જ આખરી ગણાશે અને તેને NCLT કે NCLAT બદલી નહીં શકે. આ બાબતને ધ્યાનમાં રાખીને AIFને કેટલીક વિશેષ સુવિધા આપવામાં આવે તો AIFના કોમર્શિયલ નિર્ણયો આખરી ગણાશે. ધિરાણકારો અને ઓથોરિટી માટે તે બંધનકર્તા રહેશે.”

યોજના હેઠળ કંપનીને ધિરાણ કરતી વખતે AIF જણાવશે કે, તેનું સિનિયોરિટી સ્ટેટસ ઇન્ટર-ક્રેડિટર કરારનો ભાગ હોવો જરૂરી છે. કંપની બેઠી થવામાં નિષ્ફળ રહે અને તેનો કેસ ઇન્સોલ્વન્સી કોર્ટમાં જાય તો CoCએ તમામ ધિરાણકારોમાં સૌથી સિનિયરના અંકુશની વાત સ્વીકારવી પડશે. કંપની IBC હેઠળ હશે તો CoCએ AIFનો સંપર્ક કરી ‘સિનિયોરિટી ઓફ ચાર્જ’નો સ્વીકાર કરવો પડશે.

IBC અત્યારે CoCની મંજૂરી લીધા પછી રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા વચગાળાનું ફાઇનાન્સ એકત્ર કરવાની જોગવાઈ કરે છે. શાર્દૂલ અમરચંદના નેશનલ પ્રેક્ટિસ હેડ ઓફ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સપન ગુપ્તાના જણાવ્યા અનુસાર એસ્સારના ચુકાદા પછી સ્પષ્ટતાની દ્વારા સિનિયોરિટીની મંજૂરી આપી શકાય. ઉલ્લેખનીય છે કે, એસ્સારના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી સ્કીમ હેઠળ ભંડોળની ફાળવણીમાં નાણાકીય લેણદારોને અગ્રિમતા આપી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2psiboV

No comments:

Post a Comment

Pages