બરેલીઃ ઉત્તર પ્રદેશના બરેલીમાં ઊંઘતા સમયે મચ્છર ભગાડવા માટે કોઈલ સળગાવવાના કારણે રૂમમાં આગ લાગી જતા દંપતિનું સળગીને મોત થઈ ગયું. ઘટના શુક્રવારની રાતની છે. શનિવારે સવારે મકાન માલિક અને પડોશીઓએ મકાનમાંથી ધુમાડો નીકળતા જોયો અને દરવાજો તોડ્યો. અંદર જોયું તો સામે જ પતિ-પત્ની ભડથું થયેલી હાલતમાં પડ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ મામલે બરેલીના એસ.પી રવિન્દ્ર કુમારે જણાવ્યું કે, પડોશીઓએ બંનેને બહાર કાઢ્યા પરંતુ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસ મુજબ પલંગની નીચે મચ્છર મારવાની કોઈલ સળગાવી હોવાથી આગ લાગી હોઈ શકે છે. આગમાં ઘરનો સામાન પર સળગીનો ખાક થઈ ગયો. તેમણે જણાવ્યું કે શબનો પોર્ટમોર્ટમ માટે મોકલાયા છે.
પોલીસ મુજબ વિજય સક્સેના પત્ની રજની સાથે સુભાષ નગર પોલીસસ્ટેશનની હદમાં આવેલા વંશીનગલામાં રહેતા હતા. શુક્રવારે રાત્રે બંનએ સૂતા પહેલા પલંગની નીચે રોજની જેમ મચ્છર મારવાની કોઈલ સળગાવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જબલપુરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી ચૂકી છે. રાજીવ ગાંધી નગર નિવાસી રીના મેહરાએ ઊંઘતા પહેલા મચ્છર મારવાની અગરબત્તી સળગાવી હતી. મોડી રાત્રે રૂમમાં આગ લાગવાના કારણે તેમનું મોત થઈ ગયું હતુ.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Kt9L7Y
No comments:
Post a Comment