Latest

Sunday, November 24, 2019

નિત્યાનંદ કેસઃ ધરપકડ કરાયેલી બંને યોગિનીએ પોલીસને ફોનના ફેક પાસવર્ડ આપ્યા

અમદાવાદઃ શહેરની બહાર હાથીજણ પાસે DPS સ્કૂલને અડીને આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વજ્ઞપીઠમ્ આશ્રમમાં બાળકોને બળજબરી પૂર્વક ગોંધી રાખવાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં આશ્રમમાંથી પોલીસે નિત્યાનંદની બે સેવિકા મા નિત્યા પ્રાણપ્રિયા અને મા પ્રિયાતત્તા નંદાની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે બુધવારે બંનેના ફોન પણ જપ્ત કર્યા હતા, પરંતુ ફોનને ખોલવા માટે બંને યોગિનીએ પોલીસને ફેક પાસવર્ડ આપ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પોલીસે જણાવ્યું કે બંને પાસેથી તેમને પાંચ સિમ કાર્ડ્સ અને 6 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ ફોનના પાસવર્ડ હજુ સુધી મળી શક્યા નથી. આ ફોનના એક્સેસ માટે હવે પોલીસ ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટની મદદ લેવાઈ રહી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જ્યારે અમને પાસવર્ડ ફેક હોવાનું માલુમ પડ્યું તો અમે ચોંકી ઉઠ્યા. અમે આશ્રમમાંથી ડિજિટલ લોકિંગ સિસ્ટમ સાથેનું લોકર જપ્ત કર્યું છે. અમે તેને કાપીને ખોલવાનો નિર્ણય કર્યો છે. પોલીસે જણાવ્યું કે બંને યોગિની તપાસમાં સહકાર આપી નથી રહી.

DSP કે.ટી કમરિઆએ કહ્યું કે તમિલનાડુના વ્યક્તિના આરોપ મુજબ તેની કથિત રીતે ગુમ 19 વર્ષની દીકરી હજુ નેપાળમાં છે અથવા પછી પોતાની બહેન પાસે ત્રિનિદાદ અને ટોબાગોમાં છે તેની જાણકારી નથી. અમે તેને શોધવા માટે ટીમ રવાના કરી છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુના એક વ્યક્તિએ સ્વામી નિત્યાનંદ તથા તેના આશ્રમ પર પોતાના 4 સંતાનોને ગેરકાયેદ રીતે ગોંધી રાખવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે તેને બે બાળકોની કસ્ટડી અપાવી હતી, જ્યારે તેની બે દીકરીઓ હજુ સુધી મળી નથી.



from Page Array – I Am Gujarat https://ift.tt/37uumCK

No comments:

Post a Comment

Pages