Latest

Thursday, November 21, 2019

અમદાવાદમાં આશ્રમ સ્થાપવામાં વગદાર IAS ઑફિસરે કરી નિત્યાનંદની મદદ?

ગાંધીનગરઃ અમદાવાગના હીરાપુરમાં નિત્યાનંદનો આશ્રમ છે. હવે ચર્ચા એવી છે કે ગુજરાતના એક વગદાર IAS ઑફિસરે તેને આ આશ્રમ સ્થાપવામાં મદદ કરી છે. પોલીસે તેમની તપાસના ભાગરૂપે હજુ સુધી કોઈ ઑફિસરનું નામ નથી લીધું. પરંતુ એક વરિષ્ઠ કોંગ્રેસ લીડરે બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે એક IAS ઑફિસર નિત્યાનંદને બચાવી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના આક્ષેપ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરી જે.એન સિંહને સંડોવાયેલા IAS ઑફિસરની નિત્યાનંદ સાથેની લિંકનો રિપોર્ટ આપવા જણાવ્યું છે. ચીફ સેક્રેટરીને એ તપાસ કરવા જણાવાયું છે કે શું IAS ઑફિસરે પોતાની પદવીનો દુરુપયોગ કરીને આધ્યાત્મિક ગુરુને કોઈ મદદ કરી છે કે કેમ.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કર્યું, “અમદાવાદ પોલીસે સારુ કામ કર્યું છે પરંતુ એ વાત આઘાતજનક છે કે એક IAS ઑફિસર નિત્યાનંદને બચાવી રહ્યો છે. IAS ઑફિસર સ્વામી ભક્ત છે અને એટલે જ સ્વામી અને ડીપીએસ માટે બધો વહીવટ કરે છે. હું મીડિયાને વિનંતી કરું છું કે આ IASને એક્સપોઝ કરો જેથી આપણા બાળકો સુરક્ષિત રહી શકે.”

IAS અને IPS લૉબીમાં ચર્ચા છે કે જે IAS ઑફિસર પર આરોપ મૂકાયો છે તેણે 2014માં નિત્યાનંદને 25 કિલો સોનું આપ્યું હતું. ઑફિસરે અમદાવાદમાં નિત્યાનંદનો આશ્રમ સ્થાપવામાં પણ મદદ કરી હતી. IAS અને IPS લૉબીમાં ગણગણાટ છે કે જ્યારે આ અધિકારીનું વડોદરામાં પોસ્ટિંગ હતું ત્યારે બીજા ધર્મ પંથને પણ છ એકર જમીન ખરીદવામાં મદદ કરી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/2D34mAA

No comments:

Post a Comment

Pages