અમદાવાદ: આ વર્ષે લંબાયેલા ચોમાસાના કારણે ખેડૂતોના પાક બગડી ગયા છે. ડુંગળી અને બટાકાના ભાવ વધવાને કારણે ગૃહિણીઓના હાલ બેહાલ થયા છે. ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં વિનાશ વેર્યા બાદ કમોસમી વરસાદનું સંકટ ફરી એકવાર તોળાઈ રહ્યું છે. હવામાનમાં પલટો આવવાને લીધે 23 ડિસેમ્બરે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા અને અમરેલીમાં 23 ડિસેમ્બરે હળવો વરસાદ પડી શકે છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
વરસાદની આગાહી ઉપરાંત હવામાન વિભાગની વેબસાઈટ પર ઠંડી વિશે પણ માહિતી આપવામાં આવી છે. વેબસાઈટ પ્રમાણે, ઉત્તરપૂર્વથી આવતા પવનોના કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. જે સરેરાશ તાપમાન કરતાં 1.9 ડિગ્રી નીચું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી ઊંચું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2-3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે.
કચ્છનું નલિયા 6.8 ડિગ્રી સેલ્સિઅસ સાથે ગુજરાતનું સૌથી ઠંડું સ્થળ બન્યું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 11થી 15 ડિગ્રી સેલ્સિઅસ વચ્ચે રહ્યું હતું.
જુઓ, શાહઆલમમાં કઈ રીતે ટોળાંએ પોલીસ પર હુમલો કર્યો હતો
from Page Array – I Am Gujarat https://ift.tt/2Z5NPpq
No comments:
Post a Comment