બલિયાઃ ભારતીય રેલવે પોતાનું આધુનિકીકરણ કરવાની દિશામાં વધુ એક ડગ માંડી રહી છે. પાંચ વર્ષની અંદર અંદર રેલવે વેઈટિંગ લિસ્ટની પ્રથા ખતમ કરવા જઈ રહી છે. આ ખુશખબરી રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમાર યાદવે બલિયામાં મીડિયા સાથે મુલાકાત દરમિયાન આપી હતી. આ સાથે તેમણે રેલવે કર્મચારીઓની છટણીના સમાચારને પણ રદિયો આપી દીધો હતો. તેમણે જણાવ્યું કે પ્રાઈવેટ સેક્ટર રેલવેના આધુનિકીકરણમાં ઈન્વેસ્ટ કરશે. તેને સરકાર તરફથી લીલી ઝંડી મળી ચૂકી છે. પ્રાઈવેટ ટ્રેન ઓપરેટર માટેના ટેન્ડરને સરકારે મંજૂરી આપી દીધી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરો
રેલવે બોર્ડના ચેરમેને શનિવારે કહ્યું કે રેલવેના આધુનિકીકરણની પ્રક્રિયામાં કર્મચારીઓની છટણી કરવામાં નહિ આવે. રેલવેને ટેક્નિકલ વ્યવસ્થાથી વધુ સુદૃઢ કરવાની મોટી યોજના બનાવવામાં આવી છે. ટેક્નિકલ મજબૂતી પછી રેલ માર્ગોમાં આધુનિકીકરણ સાથે ટ્રેનોની સંખ્યા વધારવાની સાથે સાથે પ્રવાસના સમયમાં પણ સુધારો કરવામાં આવશે. હવે રેલવેની પ્રાથમિકતા રિઝર્વ સીટ માટે પ્રવાસીઓનું વેઈટિંગ લિસ્ટ ખતમ કરવાની છે. તેમણે કહ્યું, “રિઝર્વ ટિકિટ લેતા પ્રવાસીઓ માટે ટ્રેનની સંખ્યા વધારવાની સાથે સાથે યાત્રીઓની ભીડ જોઈને રેલવે સ્પેશિયલ ટ્રેન પણ દોડાવશે જેથી વેઈટિંગ લિસ્ટ જ ખતમ થઈ જાય. આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે. અમને વિશ્વાસ છે કે પાંચ વર્ષમાં વેઈટિંગ લિસ્ટ ખતમ થઈ જતા પ્રવાસીઓની મોટી સમસ્યાનો અંત આવી જશે.”
એક સવાલના જવાબમાં રેલવે બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે દિલ્હીથી કલકત્તા અને દિલ્હીથી મુંબઈ સેક્ટરમાં સૌથી વધુ ટ્રાફિક રહે છે. તેને 500 કિ.મી સુધી ઠીક કરવાનું કામ કરવામાં આવ્યું છે. આ રૂટ પર 3000 કિ.મીનો કોરિડોર ડિસેમ્બર 2021 સુધીમાં પૂરો થઈ જશે. આ પાછળ 13,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ છે એશિયાનું સૌથી મોટું ટ્રેન સર્વિસ સ્ટેશન, મુંબઈની લોકલ ટ્રેન પણ સર્વિસ માટે અહીં જ આવે છે
from Page Array – I Am Gujarat https://ift.tt/36a7JlS
No comments:
Post a Comment