સુરતઃ શહેરના ડક્કા ઓવારા વિસ્તારમાં ગુરુવારે રાત્રે 65 વર્ષીય એક રિક્ષા ડ્રાઈવરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાધો હોવાની ઘટના બની હતી. આ રિક્ષા ડ્રાઈવરને ભારે દંડ ફટકારાયો હોવાનો કથિત આરોપ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
રિક્ષા ડ્રાઈવર, સરફરાઝ શેખ કે જે તેના ઘરના પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો, તેણે બે પાનાની સ્યુસાઈડ નોટ શહેર પોલીસ કમિશનરને સંબોધીને લખી છે.
સ્યુસાઈડ નોટમાં સરફરાઝે લખ્યું છે કે રિક્ષા એકમાત્ર તેની કમાણીનું સાધન છે આટલું જ નહીં તેના પરિવારમાં તેની સિવાય કમાનારું કોઈ નથી. જીવન ટૂંકાવવાના નિર્ણય માટે તેણે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી.
સ્યુસાઈડ નોટમાં જણાવ્યા પ્રમાણે રિક્ષા ડ્રાઈવર પ્રતિ પેસેન્જર 5થી 10 રૂપિયા કમાઈ છે અને પરિવારને ટેકો આપવા માટે સાંજ સુધીમાં 500 રૂપિયાની રોકડી કરીને ઘરે જાય છે. ‘જો તે 500 રૂપિયાનો દંડ ભરે તો પછી પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે’ તેવું પણ નોટમાં લખ્યું છે.
સરફરાઝ શેખની દીકરીએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે, તેમની આર્થિક સ્થિતિ સારી નથી અને તેથી જ તેના પિતાએ સ્યુસાઈડ કર્યું.
અમદાવાદઃ શાહઆલમમાં ટોળાએ પોલીસે પર કર્યો હુમલો
from Page Array – I Am Gujarat https://ift.tt/2SaUP2R
No comments:
Post a Comment