Latest

Monday, December 16, 2019

નિર્ભયા કાંડઃ આજ અઠવાડિયામાં દોષિતોને ફાંસીના માંચડે લટકાવવામાં આવશે?

નવી દિલ્હીઃ આજની તારીખે જ એક ધ્રુજાવી દેનારી ઘટના દિલ્હીમાં બની હતી. આ ઘટના 2012માં બની હતી એટલે તેને 7 વર્ષ થઈ ગયા છે. નિર્ભયાના દોષિઓને ફાંસીના માંચડે ક્યારે લટકાવવામાં આવે છે તેની આખા દેશમાં આતુરતાથી રાહ જોવાઈ રહી છે. લોકોને આશા છે કે આ અઠવાડિયે કોર્ટ દોષિતોને સજાની દિશામાં આવતી અડચણો દૂર કરી દેશે. નિર્ભયાની માતાએ કહ્યું કે હવે અમે ડેથ વોરન્ટ અને ફાંસીની સજા ના મળી જાય ત્યાં સુધી શાંતિથી નહીં બેસીશું. આ કેસમાં 6માંથી એક ટીનએજ આરોપી છૂટી ગયો છે. જ્યારે એકે આત્મહત્યા કરી અને 4 તિહાર જેલમાં છે. આ ચાર દોષિઓ આ પ્રમાણે છે- વિનય શર્મા, મુકેશ સિંહ, પવન ગુપ્તા અને અક્ષય કુમાર.

સ્વાતિ બેભાન, હોસ્પિટલમાં દાખલ

બળાત્કારીઓને 6 મહિનામાં ફાંસી મળે તે માટે આમરણાંત ઉપવાસ પર બેઠેલી સ્વાતિ માલીવાલ રવિવારે સવારે બેભાન થઈ ગઈ. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં ડૉક્ટરોએ તેને ડ્રિપ ચઢાવવી પડી.

ફાંસી આપનારા જલ્લાદને મહેનતાણું

નિર્ભયાના ચાર દોષિતોને તિહાર જેલમાં ફાંસીના માચડા પર લટકાવનારા જલ્લાદને કુલ એક લાખ રુપિયાનું મહેનતાણું મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રત્યેક ફાંસી પર 25 હજાર રુપિયા મળી શકે છે.

નિર્ભયાના ગુનેગારોને ફાંસીથી બચવાની આશા

તિહાર જેલમાં બંધ નિર્ભયાના આરોપીઓ ફાંસીથી બચવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે હજુ તેમના ચહેરા પર એ ભાવ નથી દેખાતો, જેવો ફાંસી પર લટકાવવામાં આવનારા આરોપીઓના મોઢા પર જોવા મળે છે. ચારે થોડા ડરેલા છે પણ હજુ પણ તેમને બચવાની આશા છે. ચાર જેલ અધિકારીઓને કહી રહ્યા છે કે તેમને ફાંસી નહીં થાય. હજુ તેમની પાસે ઘણાં વિકલ્પ બાકી છે.

દારૂના નશામાં યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢ્યો



from Page Array – I Am Gujarat https://ift.tt/2rGa6hC

No comments:

Post a Comment

Pages