Latest

Monday, December 16, 2019

અ’વાદ: 5-14 વર્ષના બાળકો ડેન્ગ્યુનો સૌથી વધુ ભોગ બને છે, ચેતવણી છતાં નથી લેવાયા પગલાં

અમદાવાદ: 2010માં જ ચેતવણી આપવામાં આવી હતી કે, 15 વર્ષની ઉંમર સુધીના બાળકોને ડેન્ગ્યુ થવાનો ખતરો વધારે છે. તેમ છતાં શાળાઓ, મકાનો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ જાહેર સ્થળોએ તકેદારીના પગલાં લીધા નથી અથવા તો એડિસ ઈજિપ્તી મચ્છર સામે યોગ્ય ડ્રાઈવ ચલાવી નથી. બી.જે. મેડિકલ કોલેજના રિસર્ચર દ્વારા કરવામાં આવેલા સ્ટડી પ્રમાણે, 2010થી 2016 વચ્ચે નોંધાયેલા 6,434 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. રિસર્ચ પ્રમાણે, 5થી14 વર્ષના શાળાએ જતા બાળકો ડેન્ગ્યુનો શિકાર ઝડપથી બને છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કોલેજના રિસર્ચરોનું આ તારણ જાન્યુઆરીથી ડિસેમ્બરના ડેન્ગ્યુના દર્દીઓના લેટેસ્ટ આંકડા સાથે મેળ ખાય છે. અમદાવાદ શહેરના ડેન્ગ્યુના દર્દીઓના આંકડા દર્શાવે છે કે, ડેન્ગ્યુની ચપેટમાં આવનારા 41% દર્દીઓ 5-14 વર્ષની ઉંમરના હતા. બી.જે. મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસીનના રિસર્ચરોએ શોધ્યું કે, એક લાખની વસ્તીમાં શાળાએ જતા બાળકોના ડેન્ગ્યુ કેસનો દર 2.62 છે. ડેન્ગ્યુના કારણે આ ઉંમરના બાળકોનો મૃત્યુદર પણ ઊંચો છે. એકદંરે એક લાખની વસ્તીમાં ડેન્ગ્યુનો દર 16.3 છે.

15-44 વર્ષની વયમર્યાદામાં પ્રતિ એક લાખની વસ્તીએ ડેન્ગ્યુના કેસનો દર 17.3 છે. 14 વર્ષ સુધીની ઉંમરનો મૃત્યુદર સૌથી વધુ 57.9% જોવા મળ્યો. ત્યારબાદના 15-44 વર્ષના લોકોમાં મૃત્યુદર 36.84% નોંધાયો. મહિલાઓ કરતાં પુરુષોમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. આ સ્ટડી બી. જે. મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસીન ડિપાર્ટમેન્ટના શિખા જૈન અને ગ્રીષ્મા દીક્ષિત તેમજ AMCના પૂર્વ ઇન્ટમૉર્લોંજિસ્ટ (જંતુશાસ્ત્રી) વિજય કોહલી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

2019માં 1 ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 4,195 કેસ નોંધાયા છે. જેમાં 9-14 વર્ષની વયના બાળકોનો આંકડો નોંધપાત્ર છે. ત્યારબાદ 5-8 વર્ષના બાળકો ડેન્ગ્યુના દર્દીઓ હોવાનું માલૂમ થયું છે.

જો આ તેલનો ઉપયોગ કરશો તો મચ્છર તમારી નજીક નહીં આવે



from Page Array – I Am Gujarat https://ift.tt/35pweLL

No comments:

Post a Comment

Pages