અમદાવાદઃ એક તરફ શહેરમાં ઠંડી જોર પકડી રહી છે. તેવામાં ઘણા લોકો રાતે તાપણું કરીને બેસે છે. તેવામાં શેહરના સરસપુરમાં નાની અમથી વાતમાં એક મિત્રે જ બીજા મિત્રને છરીના ઘા ઝિંકીને હત્યા કરી નાખી છે. FIR મુજબ 21ના આરોપી સોહમ સોલંકીએ તેના 28 વર્ષના મિત્ર જયેશ સોલંકીને ઉપરાછાપરી છરીના ઘા ઝિંકી હત્યા કરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
અહેવાલ મુજબ સોહમ અને જયેશ સરસપુરની ત્રિકમલાલ ચાલીના એક જ વિસ્તારમાં રહેતા હોવાથી સારા મિત્રો હતા. પીઆઈ વાળાના જણાવ્યા મુજબ બંને વચ્ચે તાપણું કરવા મુદ્દે વિવાદ થયો હતો અને જે બાદ આ ઘટના બની છે.
આ ઘટનામાં સાક્ષી અને મૃતક જયેશના બનેવી ઉર્વલ વાણિયાએ કહ્યું કે, ‘તે અને જયેશ સરસપુર વિસ્તારમાં ફરી રહ્યા હતા ત્યારે જયેશે સોહમને એક જગ્યાએ તાપણું કરીને બેઠેલો જોયો હતો. ત્યારે જયેશે સોહમને પૂછ્યું હતું કે શા માટે તે રોડ પર તાપણું કરીને બેઠો છે અને ખાલી સમય ખરાબ કરે છે.’ જેથી સોહમ ગુસ્સે ભરાયો હતો અને બંને વચ્ચે ત્યાં વિવાદ થયો હતો. જે બાદ સોહમે તેને ત્રિકમલાલ ચાલી પાસે આવવા અને જોઈ લેવા માટે ધમકી આપી હતી.
ઉર્વિલે કહ્યું કે, ‘જ્યારે અમે ત્રિકમલાલની ચાલ પાસે પહોંચ્યા તો ત્યાં સોહમ ઉભો હતો અને ત્યાં ફરી બંને વચ્ચે વિવાદ થયો અને સોહમે ઉશ્કેરાઈ જઈને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જે બાદ પોતાની બાઈક પર તે ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો.’ જે બાદ જયેશને પહેલા ઘરે અને પછી ત્યાર બાદ 108 મારફત પહેલા સરસપુરમાં આવેલ શારદાબેન હોસ્પિટલ અને તે પછી સિવિલ હોસ્પિટલ આસરવા લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આ હત્યાનો ગુનો નોંધીને ફરાર સોહમને શોધવા માટે પ્રયાસ શરુ કરી દીધા છે.
Video: દારૂના નશામાં યુવક 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢ્યો
from Page Array – I Am Gujarat https://ift.tt/36BtGKy
No comments:
Post a Comment