લખનૌઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની બે દિવસની લખનઉ મુલાકાતના એક દિવસ પહેલાં શનિવાર સાંજે પૂર્વ આઇપીએસ એસઆર દારાપુરીના પરિવારવાળાને મળવા પહોચી. રસ્તામાં થોડોક સમય માટે પોલીસે પ્રિયંકાના વાહનને રોકી લીધા હતા. પ્રિયંકાએ આરોપ મૂકયો કે લખનઉ પોલીસે તેનું ગળું દબાવ્યું અને ધક્કો મારી પાડી દીધી. આ નિવેદન બાદ હવે પ્રિયંકા આપેલા પોતાના નિવેદનથી પલટી ગયા. તો પ્રિયંકા ગાંધીની સાથે થયેલ કથિત વર્તનના કેસમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચની પાસે એક ફરિયાદ પણ નોંધાવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું દારાપુરીના ફેમિલીને મળવા જઇ રહી હતી. પોલીસે વારંવાર રોકી. જ્યારે ગાડીને રોકી અને મેં પગપાળા જવાની કોશિષ કરી તો મને ઘેરીને રોકી લીધી અને મારા ગળા પર હાથ લગાવ્યો, મને પાડી પણ દીધી હતી એક વખત.
ભાજપે કહ્યું નૌટંકી છે આ
આની પહેલાં ગળું દબાવાના નિવેદનને લઇ ભાજપે તેને પ્રિયંકા ગાંધી વાડ્રાની નોટંકી ગણાવી છે. યુપીના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે આ સંબંધમાં ટ્વીટ કરી કોંગ્રેસ મહાસચિવની આલોચના કરી છે. બીજીબાજુ કોંગ્રેસે યુપી સરકારને સસ્પેન્ડ કરવાની રાષ્ટ્રપતિ શાસન લગાવાની માંગણી કરી છે.
SSP બોલ્યાઃ આરોપ ખોટા છે
બીજીબાજુ ગળું દબાવાની ઘટનાને લઇ લખનઉના એસએસપી કલાનિધિ નૈથાની એ કહ્યું કે આરોપ સંપૂર્ણપણે ખોટો છે. આ સંબંધમાં સીઓ એમસીઆર ડૉ.અર્ચના સિંહે રિપોર્ટ આપ્યો છે. સીઓ અર્ચના સિંહ પ્રિયંકા ગાંધીના ફ્લીટ પ્રભારી હતા. રિપોર્ટમાં કહ્યું છે કે પ્રિયંકા ગાંધી પાર્ટી ઓફિસથી ગોખલા માર્ગ માટે નીકળ્યા હતા. તેમની ફ્લીટ નક્કી રસ્તાપરથી ના જતા લોહિયા પથની તરફ જવા લાગી. તેના પર જ્યારે વાતચીત કરાઇ તો કોઇ યોગ્ય જવાબ ના મળ્યો. બાકી આરોપ ખોટા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2QvVCJd
No comments:
Post a Comment