Latest

Tuesday, December 17, 2019

CAA: આસામમાં સુધરી રહી છે સ્થિતિ, આજે કર્ફ્યુ હટશે અને ઇન્ટરનેટ પણ થશે શરું

ગુવાહાટીઃ નાગરિકાત સંશોધન કાયદા વિરુદ્ધ આસામ થઈ રહેલા હિંસા અને તનાવપૂર્ણ સ્થિતિમાં થોડા અંશે સુધારો થતા રાજ્ય સરકારે કર્ફ્યુ દૂર કરવાનો નિર્ણય કર્યો છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે નાગરિકતા કાયાદના વિરોધમાં ભડકેલી હિંસા બાદ બંધ કરવામાં આવેલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પણ મંગળવાર સવારથી ફરી શરુ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ આસામ સરકારે જાહેરાત કરી છે કે 11 ડિસેમ્બરથી લાગુ કાર્ફ્યુને મંગળવારે સવારથી હટાવવામાં આવશે. નાગરિકતા કાયદાના વિરોધમાં ફાટી નીકળેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ આસામના ઘણા વિસ્તારોમાં સેના ઉતારવામાં આવી હતી અને સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ પણ લગાડાયો હતો.

આસામના મંત્રી હેમંત બિસ્વ સરમાએ મંગળવારે આસામના દરેક વિસ્તારમાંથી કર્ફ્યુ દૂર કરવાની સૂચના આપતા કહ્યું કે, રાતમાં પણ કર્ફ્યુ નહીં લગાવવામાં આવે, બ્રોડબેન્ડ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી સેવાઓ સવારથી શરુ કરી દેવામાં આવશે. રાજ્યમાં શાંતિનિ સ્થિતિ બનતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે કહ્યું કે રાજ્યમાં હાલ સ્થિતિ કાબૂમાં છે. તોફાની તત્વો સાથે ખૂબ જ કડક હાથે કામ લેવામાં આવશે. ગુવાહાટીમાં કર્ફ્યુમાં ઢીલ આપ્યા બાદ લોકો પોતાના કામકાજ માટે બહાર નીકળ્યા હતા. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે લોકોના અધિકારોની રક્ષા માટે તેઓ સમર્પિત છે. આ મામલે તો વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન શાહને મળવા માટે દિલ્હી પણ ટૂંક જ સમયમાં રવાના થશે.

Video: ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ CAAને લઈને હિંસા ન ફેલવવા લોકોને કરી અપીલ



from Page Array – I Am Gujarat https://ift.tt/2rS8265

No comments:

Post a Comment

Pages