Latest

Monday, January 6, 2020

ગાંધીનગરમાં પૂરપાટ જતી પોલીસ જીપની ટક્કરે IASની તૈયારી કરી રહેલા યુવકનું મોત

અમદાવાદઃ ગાંધીનગરમાં પોલીસના બેદરકારી ભર્યા ડ્રાઈવિંગનો ભોગ એક 21 વર્ષનો યુવક બન્યો. રવિવારે સવારે ગાંધીનગરમાં સેક્ટર-16ના ઘ-4 સર્કલ પર પોલીસના વાહને ટક્કર મારતા મૂળ સુરેન્દ્રનગરનો વતની અને સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા યુવકનું સ્થળ પર જ મોત નિપજ્યું.

મૃતક યુવકની ઓળખ હરદીપસિંહ ઝાલા તરીકે કરવામાં આવી છે, જે ધ્રાંગધ્રાના કુડા ગામનો વતની હતો અને ગાંધીનગરના લેકવાડા ગામમાં રાજપુત સમાજની IAS એકેડમીમાં રહેતો હતો. હરદીપ ગ્રેજ્યુએશન ખતમ કરીને સિવિલ સર્વિસની તૈયારી માટે એકેડમીમાં આવ્યો હતો અને તે પોતાના માતા-પિતાના ત્રણ સંતાનોમાં એક માત્ર દીકરો હતો.

મૃતકના પિતા ખુમાન સિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, રવિવાર સવારે 8.30 વાગ્યે હરદીપ બાઈક પર સેક્ટર-15થી ઘ-4 સર્કલ જઈ રહ્યો હતો. આ દરમિયાન પોલીસના વાહને ટક્કર મારતા હરદીપ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. તેને તરત જ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કર્યો.

સેક્ટર 21ના પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાઈકને ટક્કર મારીને પોલીસ જીપનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, જે વાહને હરદીપસિંહને ટક્કર મારી તે VIP એસ્કોર્ટ માટે હતું. અકસ્માત સમયે પોલીસની જીપ ઓવરસ્પીડિંગમાં હતી.

સેક્ટર 21ના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસે આરોપીનું નામ પણ FIRમાં લખ્યું નથી અને માત્ર વાહનના ડ્રાઈવરથી તેનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે હાલમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ બેદરકારી ભરી રીતે ડ્રાઈવિંગથી મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાણીપમાં પણ મિત્રનો બર્થ-ડે ઉજવી ઘરે જઈ રહેલા યુવકને PCR વાને ટક્કર મારી હતી અને તેના પગને કચડીને પોલીસ જતી રહી હતી.

આ પણ જુઓઃ

કુશલ પંજાબીએ કેમ કરી આત્મહત્યા? થયો ચોંકાવનારો ખુલાસો



from Page Array – I Am Gujarat https://ift.tt/35pLsQ6

No comments:

Post a Comment

Pages