અમદાવાદઃ રાણીપ વિસ્તારમાં મિત્રની બર્થ-ડે પાર્ટીમાંથી ઘરે જઈ રહેલા 18 વર્ષના યુવકનો પગ કચડીને PCR વાન લઈને પોલીસ ત્યાંથી ફરાર થઈ ગઈ. પોલીસે યુવકને રસ્તા પર તડપતી હાલતમાં જોયા પરંતુ મદદ કરવાના બદલે ત્યાંથી જતી રહી. આ ઘટના 14 ડિસેમ્બરની રાતની છે અને ગુરુવારે શહેરના ટ્રાફિક પોલીસમાં તેની ફરિયાદ નોંધાવાઈ હતી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
એલ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ગુરુવારે નોંધાયેલી FIR મુજબ રાણીપના પુરુષોત્તમનગર એપાર્ટમેન્ટમાં રહેતો જયદેવસિંહ ઝાલા 13 ડિસેમ્બરની રાત્રે GST ક્રોસિંગ નજીક પોતાના મિત્રનો બર્થ-ડે ઉજવવા માટે ગયો હતો. કેક કાપ્યા બાદ જયદેવસિંહ 14 ડિસેમ્બરની મોડી રાત્રે ચાલીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. અચાનક તેણે બલોલનગરથી GST ક્રોસિંગ તરફ આવતી PCR વાન જોઈ.
પોલીસ વાન જોઈને ડરી ગયેલો જયદેવસિંહ દોડવા લાગ્યો. PCR વાને તેનો પીછો કર્યો અને ટક્કર મારીને નીચે પાડી દીધો. જયદેવસિંહ રોડ પર પડી ગયો અને તેના પગ પરથી પોલીસની વાન પસાર થઈ ગઈ. તેને જાંઘમાં પણ ઈજા પહોંચી. આ બાદ તેણે પોતાને હોસ્પિટલ લઈ જવા માટે પોલીસને વિનંતી કરી. પરંતુ પોલીસ મદદ કરવાના બદલે તેને ત્યાં જ છોડીને જતી રહી.
આ બાદ જયદેવસિંહ બેભાન થઈ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો તો તેણે જાતે એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી. જયદેવસિંહના પિતા રંગૂનસિંહ રિટાયર આર્મી જવાન છે. તેમણે કહ્યું, પોલીસે મારા દીકરાને ઈજાગ્રસ્ત હાલતમાં તડપતા જોયો છતા મદદ ન કરી. એમ્બ્યુલન્સ મારા દીકરાને ઘરે લાવી અને અમને જાણ કરી. અમે તેને તાત્કાલિક અસારવાની સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેની સરખી રીતે સારવાર ન કરાતા અમે તેને ભુયંગદેવની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા.
રંગૂનસિંહે કહ્યું કે, ‘તેમના દીકરાના પગને ફરીથી જોડવા માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી પરંતુ તેને રિકવરી નથી આવી. ડોક્ટરનું કહેવું છે કે હવે તેનો પગ કાપવો પડી શકે છે. જો મારા દીકરાને માથાના ભાગે ઈજા પહોંચી હોત તો તેનું મૃત્યુ થઈ શક્યું હોત. પોલીસે મારા દીકરા પ્રત્યે અમાનવીય વ્યવહાર કર્યો છે.’
ટ્રાફિક પોલીસના એલ ડિવિઝનના ઈન્સ્પેક્ટર જે.એલ ચૌહાણે કહ્યું કે, PCR વાન રાણીપ પોલીસ સ્ટેશની હતી. જોકે હજુ સુધી કારના ડ્રાઈવરની ઓળખ થઈ નથી. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2MRJykw
No comments:
Post a Comment