વિશાલ પાટડિયા, અમદાવાદઃ શહેરના ફેમસ અને સૌથી વ્યસ્ત તેવા સી.જી. રોડને અપાઈ રહેલા નવા રૂપ-રંગમાં ખામી રહી ગઈ હોવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ સ્વીકાર્યું છે અને ડાબા વળાંકને પહોળો બનાવવા માટે કોંક્રીટની ફૂટપાથ, રોડ પર બનાવેલા નાના થાંભલા (બોલાર્ડ) અને રેમ્પનો કેટલોક ભાગ તોડી નાખ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સી.જી. રોડને 33 કરોડ રૂપિયાના ખર્ચે રિડિઝાઈન કરવામાં આવી રહ્યો છે, પરંતુ મોટાભાગના ચાર રસ્તા પર ડિઝાઈનમાં ખામી રહી જતાં ટ્રાફિકના ફ્લોમાં અડચણ ઊભી થતી હતી અને ખાસ કરીને પીક અવર્સ દરમિયાન ભયંકર ટ્રાફિકજામ થતો હતો.
પરિમલ ચાર રસ્તાની વાત કરીએ તો, પંચવટી ચાર રસ્તા તરફથી આવતા વાહનચાલકોને ડાબી બાજુ તરફ વળાંક લેવા માટે પરિમલ ટ્રાફિક સિગ્નલ પર ફરજિયાતપણે ઊભા રહેવું પડતું હતું કારણ કે, કોંક્રીટની ફુટપાથ અને બોલાર્ડના કારણે ડાબા વળાંકનો રસ્તો બ્લોક થઈ જતો હતો. અડચણો હવે દૂર કરાયા છે. સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા અને ગિરિશ કોલ્ડડ્રિંક્સ ચાર રસ્તા પાસે પણ આ કામગીરી કરાઈ હતી.
લોકો તરફથી ફરિયાદો મળતાં, સાઈટની મુલાકાત લીધા બાદ સુધારાત્મક પગલાં લેવાનો નિર્ણય લેવાયો હતો.
અમદાવાદ મિરર સાથે વાતચીત કરતાં નવરંગપુરાના કાઉન્સિલર કશ્યપ પટેલે કહ્યું કે, ‘AMCના અધિકારીઓ સાથેની બેઠકમાં અમે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને ફૂટપાથના કારણે અડચણ થઈ રહી હોવા અંગે ધ્યાન દોર્યું હતું. પરિમલ ચાર રસ્તાથી ડાબી બાજુ તરફ જવા માગતા વાહનચાલકોને ઘણી મુશ્કેલી થતી હતી. આ સિવાય પરિમલ ગાર્ડનના ગેટ પાસે જે ઢાળ બનાવવામાં આવ્યો છે તે પણ અવરોધરૂપ હતો’.
AMCના અધિકારીઓનું શું કહેવું છે?
નામ ન જણાવવાની શરતે AMCના એક અધિકારીએ ડિઝાઈનમાં ખામી રહી હોવાની વાતને કન્ફર્મ કરી હતી. અધિકારીએ કહ્યું કે, ‘સી.જી. રોડ પરના તમામ ચાર રસ્તા પરના લેફ્ટ ટર્ન પર અવરોધો હતા. ટ્રાફિકના ફ્લોને હળવો કરવા માટે અમે અવરોધો દૂર કર્યા છે સાથે જ ફૂટપાથ અને રેમ્પને સુવ્યવસ્થિત કરવાની યોજના બનાવી છે. RCC ફૂટપાથને દૂર કરવા માટે મશીન કટરની મદદ લીધી હતી. એકવાર બધું સરખું થઈ ગયા પછી, વાહનચાલકોને ડાબી બાજુ વળાંક લેવા માટે પૂરતી જગ્યા મળશે’.
નાગરિકોનું શું કહેવું છે?
પાલડીમાં રહેતા મોહિશ શાહે કહ્યું કે, હું રોજ સી.જી. રોડ પાસેથી પસાર થાઉં છું. નવી રીતે ડિઝાઈન કરાયા બાદ પરિમલ ચારરસ્તાથી ડાબી બાજુ વળાંક લેવા માટે માટે સિગ્નલ પર ઊભા રહેવું પડતું હતું.
પરિમલ ગાર્ડન વિસ્તારમાં રહેલા લલિત જૈને કહ્યું કે, મહાનગરપાલિકાએ ખામી રહી ગઈ હોવાની વાતને સ્વીકારી તે સારી બાબત છે. રોડને નવો લૂક આપ્યો તે આવકારવાલાયક છે, પરંતુ ચારરસ્તા પર જે ફૂટપાથ છે તે ચિંતાજનક બાબત છે.
2013ના પૂરમાં ગુમ થયેલા વ્યક્તિનું પરિવાર સાથે મિલન
from Page Array – I Am Gujarat https://ift.tt/35sJ2Ag
No comments:
Post a Comment