Latest

Saturday, March 28, 2020

હવે APPથી ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોનું ધ્યાન રખાશે, ઘરની બહાર નીકળતા જ મળશે એલર્ટ મેસેજ

અમદાવાદ/ગાંધીનગરઃ રાજ્યભરમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા અને તેને ફેલાતો રોકવા માટે વિદેશથી ગુજરાતમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈનમાં રહેવાનો આદેશ કરાયો છે. આ કામમાં સરકાર હવે એપ્લિકેશનની મદદ લેશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કરેલી આ સ્માર્ટફોન એપ્લિકેશનનો શનિવારથી ગુજરાતભરના ક્વોરન્ટાઈનમાં રહેલા લોકોને ટ્રેક કરવા ઉપયોગ થશે. શુક્રવારે આ એપ્લિકેશન અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં લોન્ચ કરાઈ હતી.

રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રિન્સિપલ સેક્રેટરી જયંતિ રવિએ કહ્યું, એપ્લિકેશન વ્યક્તિના ડિવાઈસને ટ્રેક કરવા જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેમણે ઉમેર્યું કે, હોમ-ક્વોરન્ટાઈનમાં રહેલો વ્યક્તિ જો અમુક ચોક્કસ એરિયામાંથી બહાર નીકળે છે તો એપમાં રહેલું જિયો ફેન્સિંગ ફીચર અધિકારીઓને એલર્ટ કરી દે છે.

શુક્રવારે સાંજે રાજ્યના પોલીસ વિભાગને ગુજરાતભરમાં ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન કરતા 570 જેટલા મામલા મળ્યા હતા. નિયમનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિને સરકાર દ્વારા સંચાલિત ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં મોકલી દેવાયા હતા.

હેલ્થ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, એપ્લિકેશન ક્વોરન્ટાઈનમાં રહેલા વ્યક્તિને તેની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતના કેટલાક સવાલો પૂછે છે. એપ્લિકેશન લોકેશનને ડિટેક્ટ કરીને કલાકના આધારે તેનો રેકોર્ડ મોકલે છે. જો ડિવાઈસ ઘરમાંથી બહાર નીકળે છે તો હેલ્થ અધિકારીઓને એપ એલર્ટ મોકલી આપે છે. યુઝર્સને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યા પણ એપમાં રેકોર્ડ થાય છે.

જયંતિ રવીએ કહ્યું, હાલમાં ગુજરાતમાં 20,103 લોકો ક્વોરન્ટાઈનમાં છે, જેમાંથી 19,377 લોકો હોમ ક્વોરન્ટાઈન અને 575 લોકો સરકાર દ્વારા સંચાલિત ક્વોરન્ટાઈનમાં છે. ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન કરનારા 236 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અધિકારીઓ મુજબ, રાજ્ય સરકારે કોવિડ-19 સામે લડવા માટે ચાર નવી ફેસિલિટી તૈયાર કરી છે. તેને મેનેજ કરવા માટે પૂર્વ-કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જયંતિ રવિએ પણ ટ્રિટમેન્ટ અને ટ્રેઈનિંગ આપવા સ્વાસ્થ્ય કર્મીઓને આગળ આવવા અપીલ કરી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3aqj0Rm

No comments:

Post a Comment

Pages