Latest

Tuesday, April 28, 2020

લોકડાઉનઃ મુંબઈથી યૂપી સુધી પગપાળા કાપ્યું 1400 કિમીનું અંતર, ક્વોરન્ટિન સેન્ટરમાં થયું મોત

પથિક્રીત ચક્રવર્તી, લખનઉઃ લોકડાઉનના કારણે ફેક્ટરી બંધ થતાં મુંબઈના વસઈ વિસ્તારમાં મજૂરી કામ કરતાં 35 વર્ષીય ઈન્સાફ અલીએ ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં આવેલા પોતાના ઘરે જવા માટે 15 દિવસ પહેલા પગપાળા ચાલવાનું શરૂ કર્યું હતું, ત્યારે તેને જાણ પણ નહીં હોય કે આ તેની છેલ્લી સફર હશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

અલીએ કપરી સ્થિતિમાં 1400 કિમીનું અંતર કાપ્યું. સોમવારે જ્યારે તે પોતાના ગામ પહોંચ્યો ત્યારે તેને તાત્કાલિક મટખનવા ગામમાં આવેલા ક્વોરન્ટિન સેન્ટરમાં લઈ જવાયો હતો. જેના થોડા કલાક બાદ હાઈડ્રેશન અને થાકના કારણે તેનું મોત થયું હતું. શ્રાવસ્તીના સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ અનૂપ કુમાર સિંહે કહ્યું કે, અલી સવારે 7 કલાકે મટખનવા પહોંચ્યો હતો અને સ્થાનિક સ્કૂલમાં કેટલાક ટેસ્ટ કર્યા બાદ ક્વોરન્ટિન કરાયો હતો.

‘તેને સવારમાં નાસ્તો આપવામાં આવ્યો હતો અને બાદમાં તેણે આરામ કર્યો હતો. પરંતુ પાંચ કલાક બાદ તેને પેટના ઉપરના ભાગમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી સાથે જ ત્રણ વખત ઊલટી કરી હતી’, તેમ સિંહે જણાવ્યું. ડોક્ટરોને જાણ કરાઈ તે પહેલા જ અલી નીચે પડી ગયો હતો.

અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં ચીફ મેડિકલ ઓફિસર એપી ભાર્ગવે કહ્યું કે, સવારે 11.30 કલાકે પોલીસે તેમને જાણ કરી હતી કે ક્વોરન્ટિન સેન્ટરમાં અલીનું મોત થયું છે. ‘અમે તેના સેમ્પલ લીધા છે અને તેને કોવિડ 19ના ટેસ્ટ માટે લખનઉની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે’, તેમ ભાર્ગવે જણાવ્યું.

‘રિપોર્ટ આવ્યા પછી જ અમે અલીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરીશું. જો કે, ડોક્ટરોની ટીમે કરેલી પ્રાથમિક તપાસ મુજબ તેનામાં કોરોના વાયરસનું એક પણ લક્ષણ નહોતું’, તેમ તેમણે ઉમેર્યું.

મટખનવા ગામના પ્રધાન આજ્ઞારામે કહ્યું કે, અલી 24 એપ્રિલે જ શ્રાવસ્તી પહોંચ્યો હતો અને 10 કિમી દૂર આવેલા તેના સાસરીમાં રોકાયો હતો. ‘સોમવારે તેની તબિયત લથડતા તે પોતાના ઘરે જવા નીકળ્યો હતો અને તેને ક્વોરન્ટિન કરાયો હતો. બાદમાં પેટમાં દુખાવો અને ઊલટી થતાં તેનું મોત થયું હતું’, તેમ તેમણે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું. ગ્રામજન અમરજીત સિંહે જણાવ્યું કે, ‘અલીએ થોડુ અંતર કરિયાણાના કેરિયરમાં બેસીને કાપ્યું હતું, જ્યારે બાકીનું અંતર પગપાળા કાપ્યું હતું. અલીના મોતના કારણે તેની પત્ની સલમા બેગમ અને 6 વર્ષનો દીકરો ઈરફાન નિરાધાર બની ગયા છે’.

ગુજરાતમાં કોરોનાથી મરનારા મૃતકોની સંખ્યા કેમ વધારે? વુહાન સાથેનું આ કનેક્શન છે કારણ?



from Page Array – I Am Gujarat https://ift.tt/2KCzdYb

No comments:

Post a Comment

Pages