Latest

Tuesday, April 28, 2020

સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે ડોનેટ કરવું છે પ્લાઝ્મા

લખનૌઃ કોરોના વાયરસના કારણે વિવાદમાં આવેલી બોલિવૂડની સિંગર કનિકા કપૂરે કોરોના વાયરસના કારણે પીડાતા લોકોને પ્લાઝ્મા આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટે તેણે સોમવારે સાંજે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં પોતાનું લોહી તપાસ માટે આપ્યું છે.

આ તપાસ બરાબર રહી તો કનિકાનું 500ml પ્લાઝ્મા લેવામાં આવશે. કિંગ જ્યોર્જની બ્લડ ટ્રાન્સફ્યુઝન મેડિસિન વિભાગના અધ્યક્ષ ડૉ. તૂલિકા ચંદ્રાએ સોમવારે જણાવ્યું, “સિંગર કનિકા કપૂરે સોમવારે સંસ્થાના ડોક્ટરને પોતાનું પ્લાઝ્મા દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પછી તેમને બોલાવીને તેમના લોહીનું સેમ્પલ લેવામાં આવ્યું. લોહીની તપાસમાં બધું બરાબર રહેશે તો તેમને પ્લાઝ્મા દાન કરવા માટે બોલાવવામાં આવશે.”

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કિંગ જ્યોર્જમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ પોતાનું પ્લાઝ્મા દાન કરી ચૂક્યા છે. જેમાં એક રેસિડેન્ડ ડોક્ટર તોસીફ ખાન, એક કેનેડાની મહિલા ડોક્ટર તથા એક અન્ય દર્દીનો સમાવેશ થાય છે. કનિકા કપૂર સ્વસ્થ થયા બાદ ચોથી રોગી હશે જેનું પ્લાઝ્મા કિંગ જ્યોર્જમાં દાન કરશે. રવિવારે સાંજે પહેલીવાર કોઈને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીમાં કોઈ દર્દીને સારવાર માટે પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી. આ દર્દી ઉરઈના એક 58 વર્ષના ડૉક્ટર છે જેમને પ્લાઝ્મા દાન કરનારી કેનેડાની મહિલા ડૉક્ટર છે જે પહેલી દર્દી પણ છે જે અહીં દાખલ થયા હતા.

ડૉક્ટરને સારવાર માટે 200ml પ્લાઝ્માનો ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને આ ડોઝ આપ્યા બાદ સતત નજર રાખવામાં આવી રહી છે. જો જરુર પડી તો તેમને વધુ ડોઝ આપવામાં આવશે.

સાવધાન! ‘સાડી ચેલેન્જ’માં પોસ્ટ કરેલી તસવીરનો ફેક ન્યૂડ ફોટો માટે થઈ શકે છે ઉપયોગ

સિંગર કનિકા 10 માર્ચે લંડનથી મુંબઈ આવી હતી, 11 માર્ચે તે પોતાના પરિવારજનોને મળવા માટે લખનૌ ગઈ હતી. તે 14 અને 15 એપ્રિલે લખનૌમાં આયોજિત કેટલીક પાર્ટીઓમાં ભાગ લેવા માટે ગઈ હતી. જેમાં ઉત્તરપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપ સિંહ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયા અને તેમના સાંસદ પુત્ર દુષ્યંત સિંહ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા.

કનિકા કપૂરે કહ્યું હતું કે તેણે 17 અને 18 માર્ચે કેટલાક લક્ષણો અનુભવ્યા હતા, જેના માટે તેણે તપાસ કરાવી હતી. તે 19 માર્ચે કોરના પોઝિટિવ આવી હતી. કનિકા કપૂરે લખનૌમાં દાખલ કરવામાં આવી હતી અને ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી તેને 6 એપ્રિલે રજા આપી દેવામાં આવી હતી.



from Page Array – I Am Gujarat https://ift.tt/3eVi8Xu

No comments:

Post a Comment

Pages