Latest

Tuesday, April 14, 2020

14 એપ્રિલ જન્મદિવસ રાશિફળઃ આ ઉપાયથી તમામ કાર્યોમાં મળશે સફળતા

Happy Birthday

27916-A-photo-b-r-ambedkar.jpg

આજના દિવસે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયાદ પ્રધાન અને ભારતીય સંવિધાનના મુખ્ય શિલ્પકાર ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ છે. ત્યારે તેમને સાદર પુષ્પાંજલી સાથે આજે જન્મેલા અન્ય તમામ વાચકોને iamgujarat.com તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.

વર્ષ નવા સંબંધો લઈ આવશે

આ વર્ષ તમારા માટે તાંબાના પાયે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષનો સ્વામી મંગળ વૃશ્ચિક રાશિ પર પરિભ્રમણ કરી રહ્યો છે. અતીતના સંદર્ભમાં લાભ અને નવા અનુબંધની શરુઆત થશે. એપ્રિલ 2020 સુધી આયાત નિર્યાતના કારોબાર સાથે સંકળાયેલ લોકો માટે મુશ્કેલ સમય પૂરો થશે અને નવી નવી તક મળશે. મે અને જૂનમાં જૂના પ્રસંગો અને કામકાજ પૂરા કરી શકશો. ઓગસ્ટમાં સમૃદ્ધીમાં વૃદ્ધી થશે.

આવું રહેશે 2020-21નું તમારુ વર્ષ

સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર સુધી વેપાર-કારોબારમાં કેટલીક અડચણો આવી શકે છે. આ બાધાને દૂર કરવામાં તમારી શક્તિ વેડફાઈ શકે છે. નવેમ્બર-ડિસેમ્બરમાં પરિવારમાં જો કોઈ અણબનાવ હોય કે પછી કોઈ વાતે વિવાદ હોય તો તેનો ઉકેલ લાવવામાં સફળ બનશો.

2021ની શરુઆત રહેશે સારી

જાન્યુઆરી ફેબ્રુઆરી 2021માં મિત્રો અને શુભચિંતકોની સહાયતાથી તમારા અટકેલા કામ પૂરા થશે અને વેપાર-કારોબાર અંગે રહેલુ દુખ દૂર થશે. ઘર પરિવારના સદસ્યોની આવકનો સ્ત્રોત વધશે.

આ ઉપાય કરો થશે ફાયદો

વર્ષ દરમિયાન મુશ્કેલીના સમયમાં દર બુધવારની રાત્રે 250 ગ્રામ ચણાની દાળ પલાળીને ગુરુવારે સવારે તેમાં 250 ગ્રામ ગોળ ભેળવી પોતાના હાથેથી ગાયને ખવડાવો. જીવન અને ઘરમાં સુખ શાંતિ મળશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2RAUuFJ

No comments:

Post a Comment

Pages