પાર્થ શાસ્ત્રી, અમદાવાદ: 39 દિવસ સુધી કોરોના સામે લડાઈ લડ્યા બાદ 59 વર્ષના રહિમાબેન આખરે આ વાયરસના ચેપથી મુક્ત થઈ શક્યા છે. મક્કાથી પરત ફરેલા રહિમાબેનને કોરોનાનો ચેપ લાગતા તેમને ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. સારવાર દરમિયાન તેમના 10 વાર ટેસ્ટ કરાયા હતા, જે પોઝિટિવ આવ્યા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
છેલ્લા 24 કલાકમાં બે વાર કરાયેલા ટેસ્ટ નેગેટિવ આવતા હવે રહિમાબેન હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે જઈ શકશે. આખા ગુજરાતમાં 39 દિવસ સુધી કોઈ દર્દીને કોરોનાથી મુક્ત થવા સારવાર લેવી પડી હોય તેવો આ પહેલો કિસ્સો છે. રહિમાબેન સાથે તેમના પતિ અને ભત્રીજી પણ મક્કા ગયા હતા, પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આ કેસ ઘણો ખાસ હતો અને સીએમ વિજય રુપાણીએ પણ રહિમાબેન સાથે વાત કરી હતી.
ત્રણ-ચાર દિવસ સુધી સતત સૂકી ખાંસી આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે, ત્યારબાદ તેમના શરીરમાં કોરોનાના કોઈ લક્ષણો નહોતા દેખાયા, પરંતુ તેમના રિપોર્ટ સતત પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલુ રાખવી પડી હતી. આખરે આ કેસને રાજ્યની એક્સપર્ટ પેનલ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાંથી તેમના તમામ એન્ટિબોડી ચેક કરવા કહેવાયું હતું.
ચેપી રોગોના નિષ્ણાંત ડૉ. અતુલ પટેલના જણાવ્યા અનુસાર, રહિમાબેનના ટેસ્ટ્સમાં તેમનામાં પૂરતા એન્ટિબોડી હોવાનું જાણવા મળ્યું હતું. મતલબ કે, તેમની રોગપ્રતિકારક શક્તિએ કોરોના વાયરસનો ખાત્મો બોલાવી દીધો હતો. જોકે, તેમના શરીરમાં મૃત વાયરસનું કવચ હોવાથી રિપોર્ટ પોઝિટિવ આવે તે શક્ય છે. આવી સ્થિતિમાં દર્દી લગભગ ચેપ બીજાને ફેલાવી શકતો નથી.
from Page Array – I Am Gujarat https://ift.tt/2W9VqSS
No comments:
Post a Comment