સુરત: સુરતની સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાનો વધુ એક દર્દી ભાગી ગયો હોવાની ઘટના સામે આવી છે. માન દરવાજા ખાતે રહેતો 50 વર્ષીય દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મંગળવારે તે વોર્ડમાંથી ભાગી છૂટ્યો હતો. બનાવની જાણ થતા ડૉક્ટર્સે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીને જાણ કરી હતી. જ્યાંથી સલાબતપુરા પોલીસને જાણ કરાતા દર્દીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દર્દીના ઘરે સુધી પહોંચી પરંતુ ત્યાં પણ તેનો કાઈ પત્તો લાગ્યો નહોતો.
બે દિવસ પહેલા પણ ભાગ્યો હતો એક દર્દી
સુરત સિવિલ હોસ્પિટલમાંથી બે દિવસ પહેલા પણ આઈસોલેશન વોર્ડમાંથી કોરોનાનો એક દર્દી ભાગી ગયો હતો. જોકે, એક કલાક બાદ તે એમ્બ્યુલન્સથી પોતે હોસ્પિટલ પરત આવ્યો હતો. તે ઘટના બાદ પણ સિવિલ હોસ્પિટલ તંત્ર કોઈ શીખ નથી લેતું તેવું લાગી રહ્યું છે. અગાઉ બનેવી ઘટનામાં પણ સિવિલના અધિકારીઓ દ્વારા સુરક્ષા બાબતે કોઈ પગલાં લેવામાં ન આવતા વધુ એક દર્દી ભાગી ગયો છે.
સુરત સિવિલ હોસ્પિટલની સુરક્ષા પર સવાલ
સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના બે દર્દીઓ એક પછી એક ભાગી જવાની ઘટના હોસ્પિટલ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. સાથે એ પણ માહિતી સામે આવી છે કે, હોસ્પિટલના ગેટથી કોણ અંદર જાય છે અને કોણ બહાર તેની પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી. ચેપગ્રસ્ત વ્યક્તિ કોઈ પણ સંજોગમાં વોર્ડથી બહાર ન નીકળી શકે તેવી સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ. પરંતુ સુરતની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી દર્દી આસાનીથી બહાર નીકળી જાય છે. એક પોઝિટિવ દર્દી કેટલું સંક્રમણ ફેલાવી શકે છે તેની જાણ હોવા છતાં તત્ર દ્વારા સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે.
લૉકડાઉનમાં સુરતના ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં મજૂરોએ મચાવ્યો હોબાળો, કરી તોડફોડ
from Page Array – I Am Gujarat https://ift.tt/2y8RnhM
No comments:
Post a Comment