Latest

Sunday, April 19, 2020

લોકડાઉનઃ 3 મે બાદ ટ્રેનો દોડશે તેવી શક્યતા નહીંવત્, શરતો સાથે ફ્લાઈટને મળી શકે મંજૂરી

અખિલેશ સિંહ, ન્યૂ દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશ લોકડાઉન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ધીમે-ધીમે તે વિસ્તારોમાંથી લોકડાઉન હટાવવામાં આવશે જ્યાંથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તેના પર શનિવારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (GoM)ની મીટિંગ થઈ. રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળા GoMએ પ્રસ્તાવ મૂક્યો કે 3 મે એ લોકડાઉન ખતમ થયા બાદ ‘સુરક્ષિત વિસ્તારો’માં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવામાં આવે. જો કે તેના પર અંતિમ નિર્ણય ગૃહ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય, રાજ્યોના ડેટા અને ફીડબેક મળ્યા બાદ લેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

રસ્તાઓ નહીં ખૂલે, નહીં દોડે ટ્રેનો!
GoM મીટિંગમાં મંત્રી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની વાત પર સંમત થયા હતા. આ સેવા માત્ર તે જ વિસ્તારોમાં શરૂ કરવામાં આવશે જ્યાં કોવિડ 19નો એક પણ કેસ નથી અથવા જ્યાં આ વાયરસ ફેલાવાનો ખતરો નથી. જો કે, કેન્દ્રીય મંત્રી લોકડાઉનના તરત બાદ રાહત આપવાના મૂડમાં નથી. તેઓ નથી ઈચ્છતા કે લોકડાઉન ખતમ થઆ બાદ પણ રાજ્યો વચ્ચે અવર-જવર શરૂ થાય. GoM ટ્રેનો અથવા પબ્લિક/ પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ સેવા કરવાના પક્ષમાં નથી. એક અધિકારીએ કહ્યું કે, મીટિંગમાં તેના પર બધા સંમત થયા હતા કે લોકડાઉનના તરત બાદ ટ્રેન સેવા શરૂ ન કરવી જોઈએ.

20 એપ્રિલ બાદ શું થશે?
રાજનાથ સિંહના અધ્યક્ષતાવાળા GoMએ 20 એપ્રિલ બાદ નોન હોટસ્પોટવાળા વિસ્તારોમાં ઈકોનોમિક એક્ટિવિટી શરૂ કરવાના માર્ગો અંગે ચર્ચા કરી. પીએમ મોદી પહેલા જ જાહેરાત કરી ચૂક્યા છે કે, 20 એપ્રિલ બાદ જ્યાં કોરોનાનો ખતરો નહીં હોય ત્યાં થોડી છૂટ આપવામાં આવશે. GoMએ મેડિકલ સેવાઓ બૂસ્ટ કરવા માટે રિટાયર્ડ ડોક્ટર્સ અને હેલ્થ પ્રોફેશનલ્સની મદદ લેવા અંગેના સૂચનો પર પણ ચર્ચા કરી.

24 કલાક કામ કરી રહ્યો છે કંટ્રોલ રૂમ
ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે મંત્રાલયના કંટ્રોલ રૂમમાં થઈ રહેલા કામકાજની સમીક્ષા કરી અને રાજ્યોની સ્થિતિ વિશે માહિતી મેળવી. મીટિંગમાં બે કેન્દ્રીય રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડી અને નિત્યાનંદ રાય પણ સામેલ થયા. ગૃહ મંત્રાલયનો કંટ્રોલ રૂમ 24×7 કામ કરી રહ્યો છે. જે લોકડાઉનને લાગુ કરવા સાથે જોડાયેલા મુદ્દોને લઈને રાજ્યો અને અલગ-અલગ મંત્રાલયોને કો-ઓર્ડિનેટ કરે છે.

દેશમાં અત્યારસુધીમાં 488 લોકોના મોત
દેશમાં શનિવાર સાંજ સુધીમાં કોરોનાનાં સંક્રમિતોની સંખ્યા 14,792 સુધી પહોંચી ગઈ હતી. જ્યારે 488 લોકોના મોત થયા છે. સૌથી વધારે 201 મોત મહારાષ્ટ્રમાં થયા છે. બીજા નંબર પર મધ્યપ્રદેશ છે જ્યાં 69 લોકો મોતને ભેટ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 2014 દર્દીઓ સાજા થયા છે, તેમને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

દિલ્હી-NCRમાં વરસાદ સાથે પડ્યા બરફના કરા



from Page Array – I Am Gujarat https://ift.tt/2VhR1OG

No comments:

Post a Comment

Pages