અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રીનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની ફેસબુક પર ખોટી પોસ્ટ કરનાર વ્યક્તિ સામે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ખોટી અફવા ફેલાવવાના આરોપમાં ફેસબુક પર ફેઝલખાન યુસુફઝાઈ નામના યુઝર વિરુદ્ધ IPCની કલમ 505(1)b અને એપિડમિક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
અધિકારીએ જણાવ્યું કે, CMના સ્વાસ્થ્યને લઈને આવી કોઈ રિપોર્ટ મળી નથી અને કોઈ પ્રકારની જાહેરાત પણ કરવામાં આવી નથી. સાયબર સેલના અધિકારીએ કહ્યું, અમે સર્વિસ પ્રોવાઈડર પાસેથી IP એડ્રેસની માગણી કરી છે, જે ડિવાઈસ પરથી ફેસબુક દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની ઉશ્કેરણી કરે તેવી હતી, એકાઉન્ટ ધારક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ સાથે જ અન્ય એક કેસમાં ફેસબુક એકાઉન્ટ ધારકની સામે અશ્લીલ ભાષાના ઉપયોગ કારણે કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું કે, અમે તેની IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના આ મુશ્કેલ સમયમાં સોશિયલ મીડિયા પર અફવાઓનો મારો ચાલી રહ્યો છે. એવામાં પોલીસ આવી અફવા ફેલવનારા એકાઉન્ટ પર સતત ધ્યાન રાખીને ખોટી માહિતી ફેલાતા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2yn2NhE
No comments:
Post a Comment