Latest

Monday, April 27, 2020

લોકડાઉનમાં જુગાડઃ ₹3 લાખની ડુંગળી ખરીદીને મુંબઈથી પ્રયાગરાજ પહોંચી ગયો આ વ્યક્તિ

કપિલ દીક્ષિત, પ્રયાગરાજઃ કોરોના વાયરસના કારણે દેશ લોકડાઉન છે. ટ્રેનો તેમજ ફ્લાઈટ્સનું સંચાલન બંધ છે. જે હાલ જ્યાં છે ત્યાં ફસાયા છે. જો કે, કેટલાક લોકો આવી સ્થિતિમાં પણ પોતાના ઘરે જવા માટે ગજબનો જુગાડ કરી રહ્યા છે. આવો જ એક જુગાડ મુંબઈમાં રહેતા પ્રેમ મૂર્તિ પાંડેયે કર્યો. તેમણે મુંબઈથી પોતાના ઘરે જવા માટે 3 લાખ રૂપિયાનો ખર્ચ કરીને ડુંગળી ખરીદી અને તેને ટ્રકમાં ભરીને પછી પહોંચી ગયા પ્રયાગરાજ. ડુંગળી વળી જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આવતી હોવાથી તેને મંજૂરી પણ મળી ગઈ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

55 વર્ષના પ્રેમ મૂર્તિ પાંડેય મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કામ કરે છે અને લોકડાઉનની જાહેરાત કરાઈ ત્યારથી જ તેઓ શહેરમાં ફસાઈ ગયા હતા. ‘જ્યારે મેં જોયું કે ધારાવીમાં કોવિડ 19ના કેસ વધી રહ્યા છે તો મારા માટે ત્યાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું’, તેમ પાંડેયે જણાવ્યું.

‘મને ધ્યાનમાં આવ્યું કે જો હું શાકભાજી કે ફળો વેચતો વેપારી હોઉ તો જ મને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે’, તેમ તેમણે ઉમેર્યું. કેન્દ્ર સરકારે શાકભાજી તેમજ ફ્રૂટના ટ્રાન્સપોર્ટેશન પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી, કારણ કે તે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આવે છે.

16 એપ્રિલે પાંડેયે 10 હજાર રૂપિયાની કિંમતના તરબૂચ ખરીદ્યા અને મુંબઈમાં બીજા દિવસે વેચી દીધા. બાદમાં તેમણે 2.3 લાખ રૂપિયાની કિંમતની 25.2 ટન ડુંગળી ખરીદી અને 77,500 રૂપિયામાં ભાડેથી ટ્રક રાખ્યો. તે જ દિવસે તેઓ ડુંગળીનો ટ્રક ભરીને પ્રયાગરાજ માટે નીકળી ગયા.

પાંડેયેએ કહ્યું કે, ‘મેં વિચાર્યું હતું કે હું તેને પ્રયાગરાજમાં વેચીશ અને મારૂં આશરે 3 લાખ રૂપિયાનું રોકાણ પાછું મેળવી લઈશ’.

પાંડેય ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા. જો કે, તેઓ ડીલ કરવામાં નિષ્ફળ ગયા અને બાદમાં તેઓ શહેરના કોટવા મુબારકપુર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે પરત ફર્યા હતા.

ટીપી નગર પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર અને ઈન-ચાર્જ અરવિંદ સિંહે કહ્યું કે, ‘પાંડેયને શનિવારે ક્વોરન્ટિન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો’.

પાંડેય પોતે જે કર્યું તે માટે દિલગીર નથી. તેમણે કહ્યું કે, ‘મારા પરિવાર પ્રત્યે મારી કેટલીક જવાબદારી છે અને મારૂં માનવું છે કે મેં પરત આવવા માટે એકદમ કાયદેસર રીત પસંદ કરી છે’.

રમઝાનમાં અનુકૂળતા માટે હળવું કરાયું લોકડાઉન? મુખ્યમંત્રી રુપાણીએ આપ્યો જવાબ



from Page Array – I Am Gujarat https://ift.tt/2VGplTW

No comments:

Post a Comment

Pages