અમદાવાદઃ કોરોના વાયરસે અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો છે. શહેરમાં સંક્રમિતોની સંખ્યા 2000ને પાર પહોંચી ગઈ છે. આ વચ્ચે એક રેલવે કર્મચારીએ કોરોના સામેની લડતમાં કોર્પોરેશનની મોટી બેદરકારીની પોલ ખોલી છે. નરેશ પટણી નામના આ રેલવે કર્મચારીનો દાવો છે કે તેના પિતાનું કોવિડ-19ના કારણે મોત થયું, તેની માતા પણ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે, તેમ છતાં પરિવારના અન્ય સભ્યોનો કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો નથી.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
વેસ્ટર્ન રેલવે એમ્પલોઈ યુનિયને આ મામલે રેલવેના ડિવિઝનલ મેનેજરને દખલ આપીને કર્મચારીને મદદ કરવાની અપીલ કરી છે. નરેશ પટણીનું કહેવું છે કે, તે સરસપુરમાં ‘પાટન કી ચોલ’માં રહે છે, આ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયો છે. તે કહે છે, ’22મી એપ્રિલે મારા પિતા કોરોના પોઝિટિવ આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા. મારા પિતા શંકરભાઈ વેન્ટીલેટર પર હતા અને શનિવારે રાત્રે તેમનું નિધન થઈ ગયું. મારા માતા શકરીબહેન પણ પોઝિટિવ છે અને તેઓ પણ સિવિલમાં વેન્ટીલેટર પર છે.’
પટણી કહે છે, જોકે તેમ છતાં મારા પરિવારના ત્રણ બાળકો અને પત્નીનો કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. હું પણ કોરોના પોઝિટિવ હોઈ શકું તેના ડરથી હું જાતે સિવિલમાં ગયો અને કોરોના ટેસ્ટ કરાવ્યો. બાદમાં રવિવારે રાત્રે મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને તેમણે હું કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું.’
પટણી કહે છે, કોર્પોરેશનમાંથી કોઈ મારા પરિવાર કે પાડોશીના સેમ્પલ લેવા માટે આવ્યું નથી. તેને ડર છે કે તેના મા-બાપ અને પોતે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર પરિવારને કોરોના થયો હોઈ શકે છે. રેલવેના ડિવિઝનલ ઓર્ગોનાઈઝેશન સેક્રેટરી સંજય સુર્યાબલીએ DRMને પત્ર લખ્યો કે, પટણી અને તેની માતાને અન્ય કોવિડ હોસ્પિટલમાં ખસેડવા જોઈએ.
તેમણે પત્રમાં એવી પણ માગણી કરી કે, રેલવેએ AMCના અધિકારીઓ સાથે વાત કરીને રેલવે કર્મચારીઓની દેખરેખ કરવા કહેવું જોઈએ. તેમણે માગણી કરી કે રેલવેનું નારાયણી હોસ્પિટલ સાથે ટાઈ-અપ હોવાથી પટણીની માતાને ત્યાં ખસેડવા જોઈએ.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VHe6uh
No comments:
Post a Comment