નમ્રતા સિંહ, મુંબઈઃ 700 કરોડનું માર્કેટ ધરાવતાં ચ્યવનપ્રાશની માગમાં છેલ્લા એક અઠવાડિયામાં 30થી 40 ટકાનો વધારો થયો છે, તેમ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું. પતંજલિ આયુર્વેદે તેના ચ્યવનપ્રાશ પોર્ટફોલિયોમાં એક મહિનામાં 400 ટકાથી વધુનો ગ્રોથ કર્યો છે, જે અભૂતપૂર્વ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ચ્યવનપ્રાશ એક એવી વસ્તુ છે જેનું સેવન શિયાળામાં વધારે કરવામાં આવે છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે કદાચ માર્ચ-એપ્રિલમાં પણ તેની માગમાં જબરદસ્ત વધારો નોંધાયો હશે.
શિયાળામાં નિયમિત ખાઓ ચ્યવનપ્રાશ, બીમારીઓ થશે દૂર
આંબળા સહિતની કેટલીક સામગ્રીમાંથી બનાવવામાં આવતું ચ્યવનપ્રાશ આયુર્વેદ પ્રમાણે ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. કોવિડ 19 સામે લડવા માટે ઈમ્યૂનિટી મજબૂત હોવી જરૂરી છે અને આયુષ મંત્રાલયે રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આવી વસ્તુનું સેવન કરવા માટે અપીલ કરી હતી. ચ્યવનપ્રાશની માગમાં થયેલા વધારા પાછળનું મુખ્ય કારણ આ હોઈ શકે.
ડાબર ઈન્ડિયા માર્કેટિંગ હેડ મુકેશ મિશ્રાએ કહ્યું કે, ‘દેશભરમાં ડાબર ચ્યવનપ્રાશની માગમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગ્રાહકો પોતાની સુરક્ષા માટે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન માર્કેટમાં લોકોને તે સરળતાથી મળી રહે તે માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ’.
ઘરે પણ બનાવી શકાય ચ્યવનપ્રાશ, આ રહી રેસિપી
60 ટકાના શેર સાથે ડાબર, ચ્યવનપ્રાશમાં માર્કેટ લીડર છે. જ્યારે અન્ય 40 ટકામાં ઈમામી, વૈદ્યનાથ અને પતંજલિનો સમાવેશ થાય છે. પતંજલિ આયુર્વેદના પ્રવક્તાએ કહ્યું કે, અગાઉના મહિનાની સરખામણીમાં કંપનીના ચ્યવપ્રાશમાં 6 માર્ચથી 6 એપ્રિલની વચ્ચે 400 ટકાથી વધુનો ગ્રોથ રેટ જોવા મળ્યો છે.
‘સપ્લાય ચેઈનમાં વિક્ષેપ હોવાના કારણે, માગમાં વધારો થતાં અમારી પાસે સ્ટોક ખૂટી ગયો હતો. પરંતુ સપ્લાય ચેઈન ફરી સામાન્ય થતાં લોકોને આ ઈમ્યૂનિટી બૂસ્ટિંગ પ્રોડક્ટ મળી રહે તે માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ’, તેમ પ્રવક્તાએ કહ્યું. માગમાં વધારો થતાં ડાબર ઈન્ડિયાએ ‘તુલસી’માંથી બનતી પ્રોડક્ટ લોન્ચ કરી છે.
અમદાવાદઃ સસ્તા અનાજની દુકાનમાં પૈસા લઈ અનાજ આપવાનો આક્ષેપ, લોકોએ કર્યો જોરદાર હોબાળો
from Page Array – I Am Gujarat https://ift.tt/3c7sZvi
No comments:
Post a Comment