Latest

Monday, April 27, 2020

મુંબઈમાં કોરોનાથી બે પોલીસકર્મીના મોત, સરકાર આપશે 50 લાખ રુપિયાનું વળતર

માતિન હફીઝ/ઉમેશ પરિદા, મુંબઈ: કોરોના વાયરસને કારણે મુંબઈમાં વધુ એક પોલીસકર્મીનું મોત થયું છે. હજુ શનિવારે જ એક વકોલા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ કોરોનાથી મોતને ભેટ્યા હતા. તેના ચોવીસ કલાકમાં જ મુંબઈ પોલીસની પ્રોટેક્શન બ્રાંચમાં ફરજ બજાવતા 53 વર્ષીય કોન્સ્ટેબલે પણ રવિવારે નવી મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

મહારાષ્ટ્ર સરકારે બંને મૃતકોના પરિવારજનોને 50-50 લાખ રુપિયાનું વળતર આપવા ઉપરાંત પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. રવિવારે મોતને ભેટેલા 53 વર્ષીય કોન્સ્ટેબલ નવી મુંબઈથી સાઉથ મુંબઈ બસમાં ડ્યૂટી પર આવતા હતા. 2017માં તેમને કેનસર થયું હોવાનું પણ નિદાન થયું હતું. 23 એપ્રિલે તેમનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા, અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેમને એડમિટ કરાયા હતા.

મુંબઈ શહેર પોલીસમાં 50,000 જેટલો સ્ટાફ ફરજ બજાવે છે, જેમાંથી અત્યારસુધી 50 જેટલા પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. જોકે, મોટાભાગના પોલીસકર્મીઓ હાલ રિકરવ થઈ રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓનું માનીએ તો, 1 હજાર જેટલા પોલીસકર્મીઓ તો ઘણા દિવસોથી ઘરે પણ નથી ગયા.

હોસ્પિટલો તેમજ કન્ટેઈન્મેન્ટ ઝોન પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ પોતાના પરિવારજનોને ચેપ ના લાગી જાય તે માટે ઘરે જવાનું જ ટાળી રહ્યા છે. કેટલાક લોકો અઠવાડીયે માંડ એકાદવાર ઘરે જાય છે. આવા પોલીસકર્મીઓ માટે પોલીસ સ્ટેશનમાં જ કે પછી સરકારી સ્કૂલો સહિતની જગ્યાએ સૂવાની અને આરામ કરવાની વ્યવસ્થા કરાઈ છે.

બંદોબસ્તમાં તૈનાત પોલીસકર્મીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને મલ્ટિવિટામીન ટેબલેટ્સ ઉપરાંત પ્રોટીન સપ્લિમેન્ટ્સ લેવાની સલાહ આપવામાં આવી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3cTBtGW

No comments:

Post a Comment

Pages