અમદાવાદઃ આમ તો અખાત્રીજના શુભ દિવસે રાજ્યભરમાં દરવર્ષે હજારો લગ્નો થતા હોય છે. પરંતુ આ વર્ષે કોવિડ-19 સામેની લડતમાં કરાયેલા લોકડાઉનના કારણે રવિવારે સેંકડો લગ્ન પ્રસંગ કેન્સલ કરવા પડ્યા હતા. અંદાજ મુજબ આશરે 30,000 જેટલા લગ્નો આ દિવસે હતા, જે લોકડાઉન હોવાથી પાછળ ખસેડાઈ ગયા છે. માત્ર અમદાવાદ શહેરમાં જ 10,000 લગ્ન યોજાવાના હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ગુજરાતમાં લગ્ન ખૂબ ધામધૂમ પૂર્વક થતા હોય છે, જેમાં કેટલાક દિવસો સુધી લગ્નના ફંક્શન ચાલતા હોય છે. મહેમાનોનું લિસ્ટ પણ લાંબુ લચક હોય છે. જોકે અખાત્રીજના દિવસે લગ્નો કેન્સલ થવાના કારણે ફૂલોના વેપારી, હોટલ માલિકો, કેટેરર્સ અને કપડા તથા જ્વેલરી બિઝનેસમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યના 18,000 ગામડાઓમાં અખાત્રીજે એકપણ લગ્નનું આયોજન થયું નહોતું.
કેટરીંગનો બિઝનેસ ચલાવતા ભરત પલીવાલ કહે છે, ‘લગ્નો કેન્સલ થવાના કારણે તમને 10 જેટલા ઓર્ડર કેન્સલ થઈ ગયા છે.’ હાલની સ્થિતિમાં પરમીશન મેળવવા માટે લગ્ન ઘરની અંદર ગણ્યા-ગાઠ્યા લોકોની ઉપસ્થિતિમાં થવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થવું જોઈએ. લગ્ન કરાવતા એક પૂજારી રાજુ દવે કહે છે, આ નિયમોને જોતા લાગે છે કે ગુજરાતના લગ્નોમાં તે અશક્ય છે જ્યાં પરિવાર, મિત્રો સહિતના લોકો આ ખાસ પ્રસંગે ઉપસ્થિત રહેતા હોય છે.
જોકે આ વચ્ચે કેટલાક એવા લોકો પણ હતા જેમણે ઓનલાઈન લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના રામોલમાં રહેતા લવકુશ યાદવે મુંબઈમાં રહેતી પુજા યાદવ સાથે ઓનલાઈન લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. બંને સાઈડથી 10 મહેમાનો પણ આ નવદંપતિને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત હતા. જોકે તેમના કોઈ સંબંધીને કોરોના થયો હોવાની જાણ થતા આ પ્લાન છેલ્લી ઘડીએ કેન્સલ કરી દેવાયો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2W2dTko
No comments:
Post a Comment